SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દીપાલિકા-પ્રવચન (૨) ૧૪૧ આ આઠ સમિતિ-ગુપ્તિમાં જિનકથિત દ્વાદશાંગીરૂપ પ્રવચનનો સમાવેશ થાય છે. એટલા માટે એને "પ્રવચનમાતા” કહેવાઈ છે. આ અધ્યયનમાં ૩૭ ગાથાઓ છે. ૨૫. યજ્ઞીયઃ બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન, ઈન્દ્રિય વિજેતા જયઘોષ” નામના મુનિ વિહાર કરતા વારાણસીના બાહ્ય ઉદ્યાનમાં પધારે છે. એ સમયે વારાણસી નગરીમાં "વિજયઘોષ” નામનો વિદ્વાન્ બ્રાહ્મણ યજ્ઞ કરાવે છે. જયઘોષ મુનિએ માસક્ષમણ કર્યું છે. પારણાના દિવસે એ યજ્ઞમંડપના દ્વારે પહોંચે છે. વિજયઘોષ ભિક્ષા આપતો નથી. એ સમયે જયઘોષ મહામુનિ વિજયઘોષને કહે છે. - - તું વેદોમાં મુખ્ય વેદને જાણતો નથી. - તું યજ્ઞોના ઉપયોગને જાણતો નથી. - તું નક્ષત્રોના પ્રધાન નક્ષત્રને જાણતો નથી. - તું ધર્મના ઉપાયોને જાણતો નથી. - તું સ્વ-પરના ઉદ્ધારકને જાણતો નથી! પછી જયઘોષ મુનિ જ વિજયઘોષ બ્રાહ્મણને પાંચ વાતો સમજાવે છે. "બ્રાહ્મણ”નું સ્વરૂપ બતાવે છે. ગાથા ૧૯ થી ૨૮ સુધી ખૂબ જ રોચક શૈલીમાં બ્રાહ્મણનું સ્વરૂપ બતાવ્યું છે. શ્રમણ, બ્રાહ્મણ, મુનિ અને તાપસ.. કોને કહે છે એ પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. વિજયઘોષ પ્રબુદ્ધ થાય છે. જયઘોષ મુનિની સ્તુતિ કરે છે. વિજયઘોષ જૈન દીક્ષા પ્રહણ કરે છે. સંયમ અને તપથી સર્વ કર્મોનો નાશ કરીને શ્રી જયઘોષ મુનિ અને વિજયઘોષ મુનિ સિદ્ધિગતિને પામે છે. આ અધ્યયનમાં ૪૪ ગાથાઓ છે. ૨. સામાચારીઃ આ અધ્યયનમાં સાધુજીવનની ૧૦ પ્રકારની સામાચારીનું વિશદ વિવેચન છે. ૧. આવશ્યકી, ૨. નૈધિકી, ૩. આપૃચ્છના. ૪, પ્રતિકૃચ્છના. ૫. છંદણા ૬. ઈચ્છાકાર, ૭. મિથ્થાકાર, ૮. તથાકાર, ૯ અભ્યત્યાન. ૧૦. ઉપસંપદા. એના પછી સાધુજીવનની દિનચર્યા બતાવવામાં આવી છે. ચાર પોરિસીનાં કર્તવ્યો બતાવવામાં આવ્યાં છે. પ્રતિલેખનમાં કેવા કેવા દોષ ન લાગવા જોઈએ એ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy