SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ પર્વ-પ્રવચનમાળા * સંસ્મારકની ઉપેક્ષા કરે છે. પુનઃપુનઃ નિષ્કારણ વિગઈઓનું સેવન કરે છે. * સૂર્યાસ્ત સુધી વિના કારણે આહાર કરે છે. * ગુરુ સાથે વિવાદ કરે છે. * જે જિનધર્મનો ત્યાગ કરે છે. * જે પોતાના આચાર્યનો ત્યાગ કરે છે. * જે ગૃહસ્થનું કાર્ય કરે છે. * જ્યોતિષ-નિમિત્ત કથન કરીને વેપાર કરે છે. આવા શ્રમણોને ભગવાને પાપ-શ્રમણ કહ્યા છે. ૨૧ ગાથાના આ અધ્યયનમાં પ્રત્યેક સાધુ - સાધ્વીએ અવગાહન કરવું જોઈએ. ૧૮. સંજયઃ કાંપિલ્પપુરનો રાજા સંજય શિકાર કરવા જંગલમાં ગયો છે. ત્યાં “ગર્દભાલિ’ નામના જ્ઞાની મહાત્માનો પરિચય થાય છે. મુનિરાજના ઉપદેશથી રાજા સંજય વૈરાગી બનીને દીક્ષા લે છે. મુનિરાજનો ઉપદેશ દયસ્પર્શી છે. સંજય મહર્ષિને બીજા એક જાતિસ્મરણજ્ઞાનવાળા રાજર્ષિનો સંપર્ક થાય છે. બંનેનો તાત્ત્વિક વાર્તાલાપ થાય છે. ખૂબ જ મનનીય છે આ વાર્તાલાપ. અધ્યયનની ૩૪ ગાથાઓમાં જે મહાપુરુષોનાં નામ ગણાવ્યાં છે કે જેમણે વિશાળ સામ્રાજ્યનો ત્યાગ કરીને સંયમધર્મ સ્વીકાર્યો હતો. એમાં પહેલું નામ છે ભગવાન ઋષભદેવના પુત્ર ચક્રવર્તી ભારતનું બીજું નામ છે ભગવાન અજિતનાથના ભાઈ સગર ચક્રવર્તીનું. પછી નામ આવે છે મઘવ ચક્રવર્તીનું. તેમની પછી સનતકુમાર ચક્રવર્તીનું નામ આવે છે. પછી જેઓ તીર્થંકર હતા અને ચક્રવર્તી પણ હતા એમનાં નામ આવે છે. શ્રી શાન્તિનાથ, શ્રી કુંથુનાથ, અરનાથ. આ ત્રણ ચક્રવર્તી પણ હતા. પછી ત્રણ ચક્રવર્તી બતાવ્યા છે. મહાપદ્મ, હરિષણ અને જય. તત્પશ્ચાત્ રાજા દશાર્ણભદ્ર, રાજા નમિ, રાજા કરકં. રાજા દ્વિમુખ અને રાજા નગગતિનાં નામ લેવામાં આવે છે. કે જેમણે પોતપોતાનાં સામ્રાજય ત્યજીને સંયમધર્મનો સ્વીકાર કર્યો હતો. તે પછી સૌવીરદેશના રાજા ઉદયન, કાશી દેશના રાજા નંદન, રાજા વિજય, રાજા મહાબલ વગેરેનાં નામ આવે છે. આ અધ્યયનમાં ૫૪ ગાથાઓ છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy