SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ પર્વશ્રવચનમાળા શ્રમણ તેમજ શ્રમણીઓને સંબોધન કરતાં જ્ઞાન અને ચારિત્રમાં દ્રઢ થવાની પ્રેરણા આપવામાં આવી છે. સાધુજીવનમાં આહાર-વિહારની મર્યાદાઓનું પાલન કરવામાં પ્રમાદ ન કરવાનું કહ્યું છે. મોક્ષપ્રાપ્તિના ઉદ્દેશને લઈને સાધુને પોતાનાં પૂર્વોપાર્જિત કર્મોનો નાશ કરવા માટે પુરુષાર્થ કરવાનું કહ્યું છે. સંયમપાલનની વૃષ્ટિથી શ્રમણે પોતાના શરીરનું પાલન કરવું, તેમાં આસક્તિ ન રાખવી. મુનિ પણ વસ્ત્ર, પાત્ર વગેરે ઉપકરણો પ્રહણ કરવાની બાબતમાં તેમજ ઉપભોગમાં આસક્તિ ન રાખે. આ ૧૮ ગાથાઓનું અધ્યયન સાધુ-સાધ્વી માટે પ્રેરણાનો સ્ત્રોત છે. ૭. ઉરબ્રીયઃ આ અધ્યયનમાં મનુષ્યલોકના વિષય સંબંધી સુખોની નિઃસારતા તેમજ દુખદાયિતા સમજાવવા માટે બકરાનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. માંસાહારી ગૃહસ્થને ત્યાં રહેલા બકરાને મગ, અડદ આદિ પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. એથી બકરો હષ્ટપુષ્ટ થાય છે. પરંતુ એ જાણતો નથી કે આ પુષ્ટિનું પરિણામ શું આવશે. જ્યારે કોઈ મહેમાન આવે છે ત્યારે એ બકરાને મારીને તેનું માંસ રાંધવામાં આવે છે. એ રીતે કામભોગમાં આસક્ત જીવ જાણતો નથી કે સુખભોગોનું ફળ નરક આદિ દુર્ગતિ છે. તીવ્ર વિષયાસક્ત જીવ નરકાદિ દુર્ગતિમાં જાય છે. બીજું ઉદાહરણ આપ્યું છે ત્રણ વેપારીઓનું ત્રણ વેપારી વેપાર કરવા પરદેશ ગયા. જે બુદ્ધિમાન હતો તે ખૂબ ધન કમાઈને ઘેર આવ્યો. જે મધ્યમ બુદ્ધિનો હતો તે જેટલું ધન લઈને ગયો હતો તેટલું જ ધન લઈને પાછો આવ્યો. જે મૂર્ખ હતો તેણે જુગાર રમવામાં અને અન્ય વ્યસનોમાં ધન ખોઈ નાખ્યું.ગરીબ થઈને ઘેર આવ્યો. એ રીતે જે મનુષ્ય બુદ્ધિમાન હોય છે તે જીવનમાં એવો પુરુષાર્થ કરે છે કે જેના ફળ સ્વરૂપે સ્વર્ગ પામે છે. જે મધ્યમ બુદ્ધિવાળો હોય છે તે એવો પુરુષાર્થ કરે છે કે જેથી ફરીથી મનુષ્યજન્મ પામે છે, અને મૂર્ખ હોય છે તે જીવન હારી જાય છે અને નરકનતિર્યંચગતિમાં ચાલ્યો જાય છે. આ અધ્યયનમાં દેવગતિનાં, મનુષ્યગતિનાં, તિર્યંચગતિનાં અને નરકગતિનાં કારણો બતાવ્યાં છે. ૩૦ ગાથાના આ અધ્યયનમાં કામ ભોગથી વિરક્ત રહેવાનો ઉપદેશ આપ્યો છે. ૮. કાપિલીયઃ નહીં ત્યારે તહીં ટોહો, હા ટોળે પદ્યરૂં . આ સૂક્તિ ઉત્તરાધ્યયનસૂત્રની છે. જ્યાં જ્યાં લાભ દ્રવ્યલાભ) થાય છે ત્યાં ત્યાં લોભ વધતો જાય છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy