SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ દશરથપુરને વિષે શિવદાસ નામે વ્યવહારીની અમે બે પુત્રીઓ છીએ. હવે તે પુરમાં પાપબુદ્ધિ નામે રાજા રાજ્ય કરે છે, તેણે કોઈક પણ પરદેશી ચાર સ્ત્રીઓ પાંચ ઘોડાએ યુક્ત નગરમાં પ્રવેશ કરી ચૌટાને વિષે આવતી દીઠી. તે સ્ત્રીઓને પોતાના અંતે ઉરમાં પોતાની સ્ત્રીઓ કરવા માટે રાખી. તે જોઈ નગરનિવાસી લોકો તથા રાજ્યના અધિષ્ઠિત પુરુષ જે મંત્રીશ્વર પ્રમુખ હતા, તેઓએ તે રાજાને ઘણુંએ કહ્યું કે તમે એ કાર્ય ન કરો, કેમકે એથી મોટા અનર્થ થશે, તોપણ રાજાએ કોઈનું કાંહિ પણ કહ્યું માન્યું નહીં. તે વારે લોકો જાણ્યું જે પારકી સ્ત્રીઓ રાજા ગ્રહણ કરે છે, તેને પાપે કરી નગરને ઉપદ્રવ થશે, પુરનો ભંગ થશે. એવું વિચારી લોકો ધીમે ધીમે પોતાની દ્રવ્ય પ્રમુખ સાર સાર વસ્તુઓ લઈને અન્ય કોઈક પોતાના સંબંધીઓ જિહાં રહે છે, તિહાં જવા લાગ્યા. તિહાં અમારા ભાઈ સહિત અમને બે જણિને પણ અમારા પિતાએ અન્ય ગ્રામે જવા માટે રથમાં બેસાડી મોકલી. પંથે ચાલતાં જે વારે ઈહાં આવ્યાં તે વારે નદીને કાંઠે રથ સહિત અમને બે જણીઓને મૂકીને અમારો ભાઈ સંબલને અર્થે ગામમાં ગયો. પાછલથી મેઘવૃષ્ટિ થઈ, તેણે કરી અકસ્માત્ નદીએ પૂર આવ્યું, તેમાં અમે બે જણીઓ રથ સહિત તણાણી, પણ અમારા શુભ પુણ્યના ઉદય થકી આ ઉત્તમ પુરુષે અમોને પાણી થકી ઉગારીને મરણથી બચાવી રાખી છે, માટે અમો બેહનો આ ભવને વિષે એજ ભરતાર હો. એટલું કહીને ઉભી રહી. એવું કન્યાઓના મુખ થકી વૃત્તાંત સાંભલીને રાજા મનમાં વિચારતો હતો, જે હું જમાઈ તો શ્રેષ્ઠ પામ્યો. એવામાં નદીનું પૂર ઉપશમ પામ્યું, તે વારે સેનાએ સહિત રાજા નદીને ઉતરીને શ્રીપુરનગરમાં આવ્યો. તિહાં તે બેહુ કન્યાઓનો ભાઈ પણ મલ્યો. ત્યારે તે બે કુમારીએ તેને કુમરે કરેલો ઉપકારનો સંબંધ કહ્યો. તે સાંભલી વ્યવહારીઆના પુત્રે તે સુરસુંદરી તથા જયસુંદરી એવે નામે પોતાની બે બહેનોનું પાણિગ્રહણ મોટે મહોત્સવે કરી તે કુમાર સાથે કરાવ્યું. પછી કુમરે રાજાની આગલ ચાર સ્ત્રીનું વૃત્તાંત કહીને દશરથપુરને વિષે સૈન્ય મોકલવાની આજ્ઞા માગી, અને વલી આનંદપુરને વિષે પોતાના સાલાને તેડવા માટે દૂત મોકલ્યો. તે પણ પોતાની બહેનોની સાર કરવા સારુ પોતાનું શ્રી પર્યુષણા ૧૮૧ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy