SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ પોસહિય સુહે ભાવે, અસુહાઈ ખવેઈ નચ્છિા સંદેહો / છિંદઈ નિયતિરિગઈ, પોસહ વિહિ અધ્ધમત્તેણં // ૧ / જે પ્રાણી શુભ ભાવથી પોસહ કરે, તે અશુભ એટલે જે માઠાં કર્મ તેનો નાશ કરે, તેમાં સંદેહ નથી, જે અપ્રમાદી થકો પોસહ કરે, તે નરક તિર્યંચ ગતિનો છેદ કરે. જેમ કામદેવ શ્રાવક પોસહમાં થિર રહ્યો, તેનો દૃષ્ટાંત કહે છે. ચંપાનગરીને વિષે કામદેવ શ્રાવક રહેતો હતો. તે આઠમ, ચૌદશ, અગ્યારસનો પોસહ નિરંતર કરે. એકદા પોસહ લેઈ બેઠો. તે વખતે ઈદ્ર મહારાજે કામદેવના પોસહની પ્રશંસા કરી. તે સાંભલી મિથ્યાત્વી દેવ પરીક્ષા કરવા આવ્યો. તેણે હાથીનાં, પાડાનાં, સર્પનાં, પિશાચનાં ૫ કરી ઘણા પ્રકારની વેદના ઉપજાવી, તોપણ ધર્મધ્યાનથી લગાર માત્ર ચલાયમાન ન થયો. તેમ સર્વ શ્રાવકે એવી રીતે પોસહ કરવો. મન દઢ રાખવું. એ પોસહ એક તો દિવસ સંબંધી ચાર પહોરનો, બીજો રાત્રિ સંબંધી ચાર પહોરનો અને ત્રીજો દિવસ તથા રાત્રિ મલી અહોરાત્ર સંબંધી આઠ પહોરનો જાણવો. એ ત્રણ પોસહ માંહે જેવો યોગ દેખીએ, તેને યોગે યથાશક્તિએ પૌષધવ્રત કરીને પર્વ સાચવીએ ! હવે ચોમાસી પર્વના દિવસે પરમેશ્વરની સ્નાત્ર વિલેપનાદિક પૂજા કરીએ. તિહાં પૂજાનાં ફલ કહે છેઃ પ્રથમ પ્રતિમાનું ઉપવાસનું ફલ થાય. તથા ફૂલમાળા પહેરાવતાં લાખ ઉપવાસનું ફલ થાય. તેમજ જિનેશ્વર આગલ ગીતગાન કરતાં, વાજિંત્ર વજાડતાં, નાટ્યારંભ કરતાં થકા અનંત ગણું ફલ થાય. એ પૂજાનાં ફલ ઉપર વૃદ્ધાકુમારનો દૃષ્ટાંત કહે છે - વિશાલાપુર નગરે જિનદાસ નામે શેઠ વસે છે, તેની મનોરમા નામે સ્ત્રી છે. શેઠને તે વૃદ્ધાવસ્થાએ એક પુત્ર થયો તેથી તેનું નામ પણ વૃદ્ધાકુમાર પાડ્યું. તે યૌવનાવસ્થા પામ્યો, તે વારે માતા પિતાની આજ્ઞા લઈને કરિયાણાનાં જહાજ ભરી સમુદ્રમાર્ગે પરદેશ ભણી ચાલ્યો. આગલ સમુદ્રમાં ચાલતાં વાયરાના યોગથી પર્વતની નજીકમાં જહાજ અટક્યાં. આઘાં પાછાં ચાલી શકે નહીં, તેથી કુમર સહિત સર્વ લોક ટૂકડો પર્વત હતો, તેની ઉપર આવ્યા. તિહાં આંબાના ૧૪૨ શ્રી ચઉમાસીપર્વ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy