SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, તેનું પ્રમાણ બહુ દેખાડ્યું. તે જેવું ગ્રંથાંતરમાં છે તેવું લખ્યું છે. ઓછા અધિક હોય, તો કેવલી જાણે. - વલી હે ગૌતમ ! મારા નિર્વાણથી એક હજાર વર્ષ પછી પૂર્વશ્રુતનો વિચ્છેદ થશે. તે વાર પછી વીશ હજાર વર્ષ પર્યત મારું શાસન આગિયાના ચમક જેવું ચાલશે. પાંચમા આરાને અંતે છેલ્લા દુપ્પસહસૂરિ થશે, તેનું બે હાથનું શરીર હશે. શુદ્ધ સમ્યક્તધારી થશે. જે વારે બાર વર્ષનો થશે, તે વારે દીક્ષા લેશે. આઠ વર્ષ પર્યત દીક્ષાને રૂડી રીતે પાલશે. દશવૈકાલિક, અનુયોગદ્વાર, કલ્પસૂત્ર, ઓધનિયુક્તિ એટલાં આગમોનો વેત્તા થશે. છઠ્ઠ છઠ્ઠ તપ કરતો આઠ વર્ષ ચારિત્ર પાલીને અઠ્ઠમ તપ અનશન કરી એકાવતારી સૌધર્મદેવલોકે એક પલ્યોપમ આયુની સ્થિતિએ ઉપજશે તે વખત ફલ્યુશ્રી નામે સાધ્વી, નાગિલ નામે શ્રાવક, સત્યસિરિ નામે શ્રાવિકા, એ ચતુર્વિધ શ્રીસંઘ તે પૂર્વા એટલે બે પહોરની પહેલાં અનશન કરી દેવલોકે જશે. તે વાર પછી બે પહોરે સુમુખ નામે પ્રધાન અને વિમલવાહન નામે રાજા કાલ કરશે. એ રીતે ધર્મનીતિ તથા રાજ્યનીતિ સ્વભાવે વિચ્છેદ પામશે. તે વાર પછી પાછલે પહોરે અગ્નિનો વરસાદ થશે. તેથી સર્વ બલી ભસ્મ થશે. એમ વીસ હજાર નવસે વર્ષ, ત્રણ માસ, પાંચ દિવસ, પાંચ પ્રહર, એક ઘડી, બે પલની ઉપર અડતાલીશ અક્ષર ઉચ્ચાર કરીએ, એટલો કાલ શ્રીજિન ધર્મ વશે. પછી પ્રલયકાલનો વાયરો વાશે, રાત્રે ચંદ્રમા બારગુણી શીતલતા દેખાડશે, અને સૂર્યનો અત્યંત આકરો બારગુણો તાપ લાગશે, તેથી ઘણા લોકોનો ક્ષય થઈ જશે. પછી સાત સાત દિવસ પર્યત અંગારા મોબર જેવી પૃથ્વી થઈ જશે. ભસ્મના મેઘ, મુર્મરના મેઘ, ક્ષારના મેઘ, વિષના મેઘ, અગ્નિના મેઘ, વીજલીના મેઘ વરસશે. પ્રત્યેકમેઘ સાત સાત દિવસ લગણ વરસશે. તથા કાસ, શ્વાસ, કોઢ ઈત્યાદિક રોગથી લોકોનો નાશ થશે. પર્વત, નદી, ખાડા, તલાવ પ્રમુખ સર્વ સરખાં થઈ જશે. વૈતાઢ્ય પર્વતની મૂલમાં ગંગા તથા સિંધુ નદીને કાંઠે બહોતેર બિલ છે, તેમાં છ ખંડ સંબંધી ભરત ક્ષેત્રના વાસી સર્વ અનુષ્ય તિર્યંચ આવીને રહેશે. રથના ચીલા જેટલી ગંગા અને સિંધુ નદી વહેશે. એટલુંજ પાણી રહેશે. તેમાં માછલાં, કાચબા પ્રમુખ જીવ ઘણા હશે, અને પાણી થોડું રહેશે. તે બિલવાસી જીવો, સર્વ રાત્રે બહાર નીકલી નદીમાંથી મસ્યાદિકને શ્રી દિવાલીકલ્પ ૯૧ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy