SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાપનારાઓને નમન હો. (૩) ૩fi - કર્મબીજને નષ્ટ કરવા વડે ફરી જેઓને જન્મ લેવાપણું છે નહિ, તેવા જન્મ મરણાદિ દુઃખોનો અંત કરનાર, નિર્મળ, નિષ્કલંક એવું શુદ્ધ આત્મ સ્વરૂપને પામેલા, સ્વરૂપ રમણતા રૂપ શરણગમનથી અવ્યાબાધ સુખને અનુભવનારા અને આત્મશરણદાતારોને નમન હો. (૧) નમો-અરિહંતાણં ત્રણ પદનું માહાત્મ્ય પદ પ્રાયશ્ચિતનું સાધન છે. ‘નો’ પદ ધ્યાનનું આલંબન છે. પદ સમતા-સમાધિનું વાચક છે. અથવા પદથી પ્રત્યાહાર પર્યંતના યોગાંગો સધાય છે. પદથી ધારણા-ધ્યાન થાય છે. પદથી સમાધિ સુખ મળે છે. ‘રર્દ’ ‘તાળ’ ‘નો’ ‘નિર્દે' ‘તાĪ’ ‘નમો’ ‘અનં’ ‘તામાં’ અથવા પદ વડે સંકુચિત ‘અહં’નો નિષેધ થાય છે. પદ વડે નિઃસીમ-અમર્યાદ-અનંત એવા આત્મ સ્વરૂપમાં લીન થવાય છે. પદ વડે પરમાત્મા સાથે એકતા સધાય છે. (૨) દાસત્વ-જીવત્વ-આત્મત્વ નમસ્કારનો વ્યાવહારિક અર્થ આજ્ઞારુચિ અને નમસ્કારનો પારમાર્થિક અર્થ આત્માનુભૂતિ છે. અથવા देह-बुद्धया तु दासोऽहं, जीववृद्धयात्वदंशकः । ગાત્મ-યુદ્ધયા ત્વમેવાડä, કૃતિ મેં નિશ્ચિતા મતિઃ 1191 Jain Education International 2010_03 ૨૦ પ્રથમ પદમાં રહેલ નમો શબ્દ દાસત્વ સૂચક છે (કર્મયોગ) નિર્દે શબ્દ જીવત્વ સૂચક છે. (ભક્તિયોગ) તાળું શબ્દ આત્મત્વ સૂચક છે. (જ્ઞાનયોગ) એ ત્રણે મળીને પૂર્ણમંત્ર (પ્રથમ પદ) બને છે. વ્યવહારનયથી દાસત્વ, નિશ્ચયનયથી જીવત્વ અને યુગપત્ ઉભય નયથી આત્મત્વને જણાવનાર પ્રથમપદના ત્રણ આલાપકો છે. દાસભાવથી અહંત્વ (અહંકાર) જાય છે. જીવભાવથી અર્હત્વ પ્રકટે છે અને આત્મભાવથી સ્વરૂપમાં લીનતા આવે છે. એકથી દુષ્કૃતગર્હા, બીજાથી સુકૃતાનુમોદના અને ત્રીજાથી શરણગમન સંધાય છે. (૩) આજ્ઞાનું સ્વરૂપ નમસ્કાર દ્વારા થતી પંચપરમેષ્ઠિની ભક્તિથી વિમુખ રહેનારા, આજ્ઞાના સ્વરૂપથી અને તેના જ્ઞાનથી વિમુખ રહે છે. આરાધનાથી દૂર રહે છે અને વિરાધના કરનારા થાય છે. તે વિરાધના અનંતભવભ્રમણ કરાવે છે. વિરાધનાથી બચવા અને આરાંધના પ્રગટાવવા ‘આનં’ પદ છે. ‘આનં’ પદ આજ્ઞાના અસ્તિત્વને અને ‘રિશ્ચંત’ પદ આજ્ઞાના સ્વરૂપને ઓળખાવે છે. ‘નમો’ પદ તે સ્વરૂપવાળી આજ્ઞા પ્રત્યે ભક્તિભાવ પેદા કરે છે. પાંચે પદોથી આજ્ઞાનું જુદું જુદું સ્વરૂપ પ્રગટ થાય છે અને તેવા તેવા સ્વરૂપવાળી આજ્ઞા પ્રત્યે પાંચે પદોમાં રહેલ ‘નમો’ પદ ભક્તિ પ્રગટાવે છે. તેથી પાંચે પદ યુક્ત નવકારનું સ્મરણ-મનનચિંતન-ધ્યાન આજ્ઞાના અર્થી જીવોનું પુનઃ પુનઃ કર્તવ્ય છે. દ્રવ્ય-ગુણ-પર્યાયની ભાવના ‘‘નમો અરિહંતાનં’’ પદના ભાવનાથી દ્રવ્ય, ગુણ, પર્યાયના પરિજ્ઞાન દ્વારા મૈત્ર્યાદિ ચાર ભાવનાઓ વડે શુદ્ધ થયેલ મન, વચન, કાયાના યોગોમાં તન્મયતા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy