SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ - અહંકાર છે અને કોઈ પણ અહંકાર - એ પાપનું મૂળ છે. પરમતત્ત્વો પ્રત્યે અહંકારનો ભાવ – એ પ્રકૃષ્ઠ પાપ છે, તે પાપથી મુક્ત થવા માટે નમસ્કાર અપરિહાર્ય છે. નમોપદમાં નવપદનું ધ્યાન ‘નમો’ એ જીવાત્માને પરમાત્મા તરફ લઈ જવા માટે સેતુનું કાર્ય કરે છે. સેતુને અર્ધમાત્ર પણ કહે છે. ત્રિમાત્ર તરફથી અર્ધમાત્રમાં જવા માટે તે પુલનું કામ કરે છે. તેને બિંદુનવક પણ કહે છે. ચતુર્થ ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધીની અંતરાત્મભાવની અવસ્થાઓ બિંદુ નવકથી અભિવ્યક્ત થાય છે. ‘નો’ ને અરિહંતાદિ નવપદો સાથે જોડવાથી અવ્યક્ત એવા બિંદુનવકને વ્યક્ત સ્વરૂપ પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ અવ્યક્ત દશા અમાત્રપદમાં છે. અર્ધમાત્રમાં અંશે વ્યક્ત અને અંશે અવ્યક્ત દશા છે. ત્રિમાત્ર વ્યક્ત અવસ્થા છે. વ્યક્તમાંથી અવ્યક્તમાં જવા માટે જે અર્ધવ્યક્ત દશા છે, તે જ સેતુ છે. અને તે જ ‘નો’ પદથી વાચ્ય છે. Jain Education International 2010_03 છે. તે અમાત્ર અવસ્થામાં લઈ જવાનું અનંતર સાધન બને છે. એ રીતે નાં પદ સાથે થતું નવ પદોનું ધ્યાન, જીવને બહિરાત્મભાવમાંથી છોડાવી, અંતરાત્મભાવમાં લાવી, પરમાત્મભાવમાં સ્થાપનારૂં થાય છે. બીજા શબ્દોમાં ત્રિમાત્રમાંથી છોડાવી બિંદુ નવકરૂપી અર્ધમાત્રમાં જોડી અમાત્ર પદની પ્રાપ્તિ કરાવે છે. ત્રિમાત્ર એટલે બહિરાત્મદશા, અર્ધમાત્ર એટલે અંતરાત્મદશા અને અમાત્ર એટલે પરમાત્મદશા. ૧૭ તંત્રશાસ્ત્રમાં તેને ત્રિમાત્ર, અર્ધમાત્ર અને અમાત્ર શબ્દોથી ઓળખવામાં આવે છે. નમસ્કારથી ચિત્ત પ્રસન્નતા ધર્મ અને અધર્મ નિજ શુભ અશુભ પરિણામને અનુસરે છે. શુભાશુભ પરિણામમાં આલંબન અરિહંતાદિ છે. નમસ્કાર કરતાં તે શુભ પરિણામના આલંબન બને છે, તેથી ધર્મ થાય છે. તેનાથી પ્રશસ્ત અર્થ-કામ-સ્વર્ગ-અપવર્ગાદિ ફળો પ્રાપ્ત થાય છે. ધર્મનાં સાધન દયા, દાન, પ્રશમ. જિનપૂજાદિ વિવિધ છે. તેથી શુભ પરિણામની વૃદ્ધિ થાય છે, માટે ધર્મના અર્થીએ સ્વચિત્ત-પ્રસાદ માટે પ્રયત્ન કરવો જોઈએ. અરિહંત પદ સાથે નો પદ જોડાય છે ત્યારે મનનું ધ્યાન (Attention) સંસાર તરફથી વળી મોક્ષ તરફ જોડાય છે. સિદ્ધપદ સાથે જોડાય ત્યારે (Interest) રસ-આનંદ જાગે છે. આચાર્ય પદ સાથે જોડાય ત્યારે (Desire)મોક્ષની ઈચ્છા ઉત્પન્ન થાય છે. ઉપાધ્યાય પદ સાથે જોડાય ત્યારે (Intense જિન-સિદ્ધાદિનો નમસ્કાર, પૂજા ઈત્યાદિ નિજ ચિત્ત-પ્રસાદને કરે છે અને તેનું અનંત, અપ્રમેય ફળ desire-will) પ્રબળ ઈચ્છા પ્રગટે છે. સાધુપદ સાથે મળે છે, માટે તેને વિષે ઉદ્યમ કરવો જોઈએ. જોડાય ત્યારે (Power of imagination) કલ્પના કરવાની શક્તિ પ્રગટે છે. તે જ ન્યાયે આગળ વધતાં સમ્યજ્ઞાન, સમ્યક્ ચારિત્ર અને સમ્યક્ તપ સાથે જોડાય ત્યારે અનુક્રમે (Visualisation) આબેહૂબ કલ્પના, (Identification) એકતા અને (Complete aborption) સંપૂર્ણ લય ઉત્પન્ન થાય છે. પછી ઉન્મની-મનોનાશની સ્થિતિ અનુભવાય શ્રી જિન સિદ્ધાદિ, કોપ, પ્રસાદ રહિત છે પણ જ્ઞાનમય છે પરંતુ કાઇ, પાષાણાદિવત્ નથી. આચાર્યાદિ પણ વીતરાગ કલ્પ છે. કષાયો વિદ્યમાન છતાં તેને નિગ્રહ કરનારા છે. તેના ઉદયને નિષ્ફળ બનાવે છે. અથવા ઉત્પન્ન થવા દેતા જ નથી. કિંચિત્ અકૃતાર્થ છતાં સ્વશુભ પરિણામમાં હેતુભૂત હોવાથી આચાર્યાદિ પણ નમસ્કારને યોગ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy