________________
જમનાભાઈ મોટા મનસુખભાઈને કહે છે, “ભાઈ, બંગલો તો ખૂબ જ સારો બન્યો છે.”
મનસુખભાઈ પૂછે છે, “એમ, તને બહુ ગમે છે ?” પછી તરત કહે, ‘તો આ બંગલો તું રાખ, પેલે બંગલે હું રહીશ.”
એક પળના પણ વિલંબ વિના મનસુખભાઈના મોઢેથી આ શબ્દો નીકળ્યા. આજે પણ તે બંગલા હયાત છે અને જોવા જેવા છે.
જ્યાં એક એક કણની જોડે પોતાની માયા જડાઈ ગયેલી હતી તે મનસુખભાઈ નથી પત્નીને પૂછતા, નથી પુત્ર માણેકલાલને પૂછતા અને નાનાભાઈને પ્રેમથી પોતાનો બંગલો ભરી દે છે. વાસ્તુ વખતે એ વાત બનીને રહી. મનસુખભાઈનો સરસામાન ખાનપુર પહોચ્યો અને જમનાભાઈનો સરસામાન શાહીબાગના બંગલે, આ મનસુખભાઈની ઉદારતા, કહ્યું છે ને કે -
‘સજ્જનો રમતાં બોલે શિલાલેખ સમાન, દુર્જનો શપથે બોલે પાણીલેખ સમાન.”
જમનાભાઈને તો પરિવાર હતો નહીં. માણેકબહેનના ભાઈ બબાશેઠ અને તેમનો પરિવાર ત્યાં આવતો-જતો રહેતો. આ બધું મેં નજરે જોયેલું છે. વર્ષો સુધી જમનાભાઈ ભગુભાઈના બંગલાના ઉપરના માળે શાંતિનાથ પરમાત્માની મેં પૂજા કરી છે.
માણેક શેઠાણીએ આ બંગલાનું જે વિલ કર્યું તેમાં અગત્યનો મુદ્દો એ છે કે જ્યાં સુધી આ બંગલામાં કુટુંબીઓ રહે, સાચવે એ બધું બરાબર, પરંતુ ત્યાર પછી આ બંગલો ધાર્મિક કાર્યો માટે જ વાપરવો. કોઈપણ સાંસારિક કાર્ય માટે ક્યારેય આ બંગલાનો ઉપયોગ ન થવો જોઈએ.
મોટા મહારાજશ્રી ત્યાં બિરાજેલા છે. રત્નપ્રભાવિજયજી મહારાજ પાછલી ઉંમરમાં તબિયતની પ્રતિકૂળતાને કારણે એ બંગલાના આઉટહાઉસમાં રહેલા છે. સં. ૧૯૮૨માં નંદન સૂરીશ્વરજી મહારાજની આચાર્યપદવી ત્યાં થયેલી છે. અને તે નિમિત્તે ત્યાં કરવામાં આવેલી ગિરિરાજની રચના આજે પણ મોજુદ છે. આજે પણ કાર્તિકી પૂર્ણિમાએ ૫ટનાં દર્શનાર્થે સકલ સંઘ એ બંગલે જાય છે. શેઠ માણેકલાલે (માકુભાઈ) કાઢેલો અનન્ય એવો છરી પાલિત સંઘઃ એક ઐતિહાસિક ઘટના:
૧૯૯૦ના સંમેલન પછી મહારાજ સાહેબ ચોમાસું કરવા જાવાલ પધાયા. તે પછી કાપરડા જવાની ઈચ્છા હતી. કેમ કે '૭૫માં કાપરડાની પ્રતિષ્ઠા કર્યા પછી તે પ્રદેશમાં તેઓ વિચર્યા ન હતા. એટલે તેમને ચોમાસું પૂરું થયા પછી રાણકપુર, કાપરડા જવું હતું. વળી જોધપુર અને આજુબાજુનાં ગામોના શ્રાવકો પણ તેમને વિનંતી કરવા આવેલા. મહારાજ સાહેબ પોતે પણ માનતા હતા કે હમણાં ગુજરાતથી તો આવેલા છીએ એટલે તરત પાછા ગુજરાત જવું નથી. પણ એ ઈચ્છા હોવા છતાં મહારાજ સાહેબના ઊતરતા ચોમાસે માણેકલાલ - માકુભાઈના છ'રી પાલિત સંઘની વાત આવી. બધાએ ખૂબ જ આગ્રહ કરતાં મહારાજશ્રી માકુભાઈની ભાવના પરિપૂર્ણ કરવાને માટે જાવાલ (રાજસ્થાન)થી પધાર્યા અને નિશ્રાપ્રદાન કરી.
ઐતિહાસિક કાર્યા-૨ : ૬
COC
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org