________________
શાસનસમ્રાટ પ્રબચનમાળા
09
નિશ્ચાયનયની પરિણતિ અને સાક્ષીભાવમાં સાધુતાનો સાચો સ્વાદ :
સૌ પ્રથમ શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજે આ વાત ઉપર વિચાર કર્યો છે. આ વાત વિક્રમ રાજાનાં વર્ષો જેટલી જૂની છે. એમના ગ્રંથો શ્રીસંઘે સાચવ્યા તો આપણા સુધી પહોંચ્યા. આ ઋણને અદા કરવા માટે પણ આવા ગ્રંથોની સુરક્ષા આપણે કરવી જોઈએ. જેથી હવે પછી શ્રીસંઘમાં આવનારા જે ઉત્તમોત્તમ જીવો હશે તેને વળી પાછી આ ચીજ મળશે. આ રીતે એક મહત્ત્વનું ઋણ ફેડવાનો પ્રયત્ન કરી શકાય છે.
जह जह बहुस्सुओ, सम्मओअ सीसगणसंपरि वुडो अ । अविणिच्छि असमए तह तह सिद्धंतपडिणीओ ॥ ( संमति.)
આ ગાથા ઘણા લોકોએ વાંચી હશે. પરંતુ એ ગાથામાં છુપાયેલી અદ્ભુત ચીજ માત્ર ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની નજરમાં વસી ગઈ છે. એના ઉપર એમનું ધ્યાન એટલું વિશેષ રીતે ગયું છે કે જ્યાં જ્યાં એમને તક મળી ત્યાં ત્યાં, શ્રીપાળના રાસ (તેમનો છેલ્લો અગત્યનો ગ્રંથ)માં ચોથા ખંડની છેલ્લી ઢાળમાં પણ આ વાત મૂકી. એમના સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં પણ આ વાત મૂકી. વૈરાગ્ય કલ્પલતા' જે તેમનો એક અદ્ભુત કોટીનો સંસ્કૃત ગ્રંથ છે ત્યાં પણ આ વાત મૂકી. જ્યારે કોઈ માણસને એક વાત બહુ ગમી જાય છે ત્યારે બીજો એને મળે તો એને કહેતો રહે છે. જોકે અર્થનો અનર્થ કરનારાઓએ આ ગાથાનો દુરુપયોગ પણ કર્યો છે પણ મર્મની દૃષ્ટિએ આ વાત અગત્યની છે.
‘જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત, બહુ શિષ્યે પરિવરિયો, તિમ તિમ જિનશાસનનો વેરી એ નવી નિશ્ચય ધરિયો.’
આ શબ્દો ઉપાધ્યાયજી મહારાજે ગુજરાતીમાં ઉતાર્યા છે. એનો મૂળ સ્રોત એમની સામે દિવાકરજી મહારાજના શબ્દો છે. જોકે ‘ઉપદેશમાલા'માં પણ આ ગાથા મળે છે.
કોઈ માણસ વિદ્વાનોની કોટીમાં અગ્રેસર બને, બહુશ્રુત બને, બહુજનસંમત બને એટલે કે અનેક લોકો એને માનનારા બને, એના અનુયાયીઓ બને, ગચ્છ સ્થપાય એટલા એના શિષ્યો બને અને તેમ થતાં પોતાના હૃદયમાં નિશ્ચયનયની વિભાવનાને એ
Jain Education International 2010_02
સ્થિર ન કરે, પણ ‘આ બધું મારાથી જ થઈ રહ્યું છે' તેવું જો એ માનવા લાગે, કતૃત્વની
ભાવના એનામાં દાખલ થઈ જાય તો એ વાસ્તવમાં જિનશાસનનો માણસ નથી પણ જિનશાસનનો વૈરી છે. થતી પ્રવૃત્તિ ઔદયિક ભાવ છે. ક્ષાયોપમિક નથી. આપણી નિર્જરા ક્ષાયોપશમિકથી છે. આવી સમજણ જરૂરી છે.
ઉપાધ્યાયજી મહારાજે ‘જ્ઞાનસાર’ના બીજા અષ્ટકની અંદર પણ આ વાત મૂકેલી છે. 'कर्तृत्वं नान्य भावानां साक्षीत्वमवशिष्यते'
સાધુપણામાં કર્તાબુદ્ધિ નહિ પણ માત્ર સાક્ષીભાવ જો આવે તો સાધુપણાનો સાચો સ્વાદ મળે.
મહારાજ સાહેબ બહુશ્રુત હતા એ આપણે વિસ્તારથી જાણ્યું, બહુજનસંમત હતા એ પણ વારંવાર જોયું, બહુ શિષ્યથી પરિવરેલા હતા એ વાત પણ સુવિદિત છે. પણ એમનામાં આ નિશ્ચયનયની પરિણતિ કેટલી બધી હતી તેનાં દર્શન એમણે સંમેલનમાં વિદ્યાવિજયજીને બોલાયેલા ઉદ્ગારોમાં થાય છે. ભરસભામાં પોતાના જ સમુદાયના એક
For Private & Personal Use Only
www.jainelibrary.org