________________
થાય છે. પરિણામે દર્શિની બુદ્ધિનું મહારાજ સાહેબને વરદાન હતું. સાગરજી મહારાજે તે વાત સ્વીકારી લીધી. તેઓ પાંજરાપોળમાં પધાયાં. મહારાજ સાહેબ ત્યાંની જ્ઞાનશાળામાં અને સાગરજી મહારાજ ઉપાશ્રયમાં ઊતર્યા. રોજ છ છ કલાક મીટિંગો ચાલે. સાગરજી મહારાજ, નંદનસૂરિ મહારાજ, લાવણ્યસૂરિ મહારાજ, નેમિસૂરિ મહારાજ બધા સાથે બેસીને મસલત કરતા. આ મસલત દરમ્યાન કોઈક પ્રશ્ન બાબતે નંદનસૂરિ મહારાજ દ્વારા કાંઈક ઉકેલ મળી જતાં સાગરજી મહારાજ એટલા ખુશ થઈ ગયા કે એમણે નંદનસૂરિ મહારાજની પીઠ થાબડી. સાથે બેઠેલાંને પણ આ દશ્ય જોઈ સાનંદાશ્ચર્ય થયું. પુણ્યવિજયજી મહારાજનો પણ તે વખતે ફાળો ખરો.
હવે, વિજયવલ્લભસૂરિ મહારાજ માટે પણ મહારાજ સાહેબને પૂર્ણ વિશ્વાસ હતો. ભલે દહેગામમાં સૌ સમાંતરે ભેગા થયા પરંતુ ચાર આંખો મળતાં જ તેઓ વિરોધ બંધ કરી દેશે તેવો મોટા મહારાજશ્રીને ભરોસો હતો. વલ્લભસૂરિજી માટે તેમને ઘણો આદર હતો. એમના ચારિત્ર માટે મહારાજ સાહેબ બે મોઢે વખાણ કરતા હતા. વલ્લભસૂરિજીને પણ મોટા મહારાજની શાસન પ્રત્યેની વફાદારી સ્પર્શી ગઈ હતી. સંમેલન - પ્રારંભ :
છેવટે ફાગણ વદ ૩ના દિવસે નગરશેઠના વંડામાં સંમેલન શરૂ થયું. સાધુગણ, સાધ્વીજીગણ, શ્રાવકો, શ્રાવિકાઓ. એના વિશાળ શમિયાણામાં મોટા સમુદાયમાં એકત્ર થયા હતા. હકડેઠઠ મેદની પણ અભુત શિસ્ત. મોટા મહારાજ મંગળાચરણ કરે. બધાએ હાથ જોડીને સાંભળવાનું. ત્યારબાદ મહારાજશ્રી સ્વસ્થ થઈ બેસે, વચ્ચેથી કોઈની પણ ઊભા થવાની હિંમત નહીં
શ્રાવક-શ્રાવિકાઓની હાજરીમાં સંમેલનમાં કયો મુદ્દો પહેલાં ઊભો કરવો, તેને કઈ રીતે આગળ ચલાવવો, એ મુદ્દાની ચર્ચા દરમ્યાન સામો કયો તર્ક આવશે અને એનો શો ઉત્તર આપવો – આ બધી તૈયારી થયા પછી આની શરૂઆત કોણ અને કેવી રીતે કરે એ બાબતે ગૂંચ પડી. ઘડીભર બધા લોકોને લાગ્યું કે શું સંમેલન આમ જ ચાલશે ? આમને આમ તો આપણે ઊભા થઈ જઈશું ને વિખરાઈ જઈશું. કસ્તુરભાઈ મણિભાઈ:
સૌથી પહેલા દિવસનું કસ્તૂરભાઈ મણિભાઈનું જે ભાષણ થયું એનો એકએક શબ્દ કીમતી હતો. તોલીનોલીને જાણે શબ્દો બોલાતા હતા. બધા લોકોએ સ્તબ્ધ થઈને ભાષણ સાંભળ્યું. કેટલાકના મનમાં એમ હતું કે કસ્તૂરભાઈ મણિભાઈ તો સુધારક છે. જૈન ધર્મથી બહુ પરિચિત નથી. ઘણી વાર પરદેશ જઈને રહે છે. એમને આ બધી સમજણ કેમ આવે? પણ એ ખૂબ જ પ્રભાવક રીતે બોલ્યા. એ શાંતિ દાસ શેઠ, વખતચંદ શેઠ, લક્ષ્મીચંદ શેઠ, ખુશાલચંદ શેઠ એ પરંપરાની હેમાભાઈ પ્રેમાભાઈનું લોહી. આ સંસ્કારો અંદર પડેલા, ભલે ઉપર થોડી ધૂળ આવી જાય. પણ પવન આવવાથી ચાલી જતી હોય છે.
“મારા સાધુ એ સાધુ જ છે.” આ એમનું પહેલા દિવસનું પહેલું વાક્ય અને આજ વાક્ય છેલ્લા દિવસનું પણ. વચ્ચેના દિવસોમાં અનેક પ્રશ્નો પરત્વે વિચારણા ચાલી.
શાસનસમ્રાટ પ્રવચનમાળા g૨
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org