SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ કસબાઓમાં ચારે બાજુ પેટાવેલા દીવડાઓનો આ મીટિંગ દ્વારા જાણે કે અંધારાં ખાળવાનો પ્રયાસ હતો. કોટી દીપ તણા પ્રકાશબળથી, તારા તણા તેજથી, સ્વર્ગગા તણી શુભતા થકી અને નક્ષત્રના નાથથી” આ બધા ભેગા થયા. પણ બળ ઓછું પડતાં તારાઓને બોલાવ્યા. ત્યારબાદ આકાશગંગા અને ત્યારબાદ ચંદ્રને આમંત્રણ અપાયું. સૂર્યનો વિકલ્પ કરવાને માટે આ બધા ઊભા થયા અને એ ભેગા થયેલા માણસોએ રાતભર મહેનત કરી. “જે ન ધ્વાંત થતું પ્રશાંત ઘડીએ તે કેવું પ્રાતઃ સમે, જો આ આગમ સાંભળી રવિ તણું સંત્રસ્ત હેજે શામે સાત અશ્વો પર આરૂઢ સૂર્યઃ અહીં પણ સૌએ આગમન સાંભળ્યું કે સહસ્ર કિરણોથી શોભતો સાત ઘોડા પર બેઠેલો સૂર્ય આવી રહ્યો છે. આ સાત અશ્વો તે સાત આચાર્ય મહારાજાઓ અને એમના શિષ્યો. ઉદયસૂરિ મહારાજ, નંદનસૂરિ મહારાજ, વિજ્ઞાનસૂરિ મહારાજ, પધસૂરિ મહારાજ, કસ્તૂરસૂરિ મહારાજ, અમૃતસૂરિ મહારાજ, લાવણ્યસૂરિ મહારાજ આ સૌ શિષ્યસમુદાય સાથે આવી રહ્યા હતા. આ સાંભળીને જ ચારે બાજુ અંધારું ભાગંભાગ કરવા લાગ્યું હતું. નંદનસૂરિ મહારાજ ગિરનારની યાત્રાએથી આવી રહ્યા હતા, વલ્લભસૂરિ મહારાજે પાલિતાણાથી આવી રહ્યા હતા, વિદ્યાવિજયજી સાબરકાંઠાથી આવી રહ્યા હતા. મોટા મહારાજશ્રી ધોલેરા થઈને અહીં પધાયા. જેમ બધી નદીઓ સમુદ્રમાં ભેગી થાય તેમ સૌ આવી રહ્યા હતા. સમાંતર છાવણી : વળી, કેટલાક સાધુ મહારાજને થયું કે આપણને કોઈ બોલાવતા નથી, કશું પૂછતા નથી, આપણી સલાહ લેતા નથી. આપણે સમાંતર છાવણી ઊભીકરો. એક આચાર્ય મહારાજ આમાં આગેવાન હતા. એમની સંખ્યા પણ સારી એવી હતી. એમનું દહેગામમાં સંમેલન થયું. એમાં પણ ઘણી મસલતો થઈ. આ બાજુ મહારાજ સાહેબ પણ ઓછા ચિંતિત ન હતા. પણ સાવધ રહેવું, સચિંત રહેવું એ એક વાત છે અને જેની-તેની પાસે ફરિયાદ કરતા રહેવું એ જુદી વાત છે. મહારાજ સાહેબ કોઈની પાસે કોઈ પણ બાબતમાં “હે શું કરશું? એવો શબ્દ પ્રયોગ કર્યો નથી. અને જયારે એમણે બરાબર હૃદયથી ઈચ્છવું છે ત્યારે એ પ્રમાણે થઈને જ રહ્યું છે. મહારાજ સાહેબ જ્યારે વિહાર કરીને બહારથી પધાર્યા, ગામમાં જવાની વાર હતી તે વખતે સમગ્ર “પ્લાન ઘડવા માટે સુતરિયા બિલ્ડિંગમાં તેઓ બિરાજમાને રહ્યા. એ મકાન મૂળ ભગુભાઈ સુતરિયાનું. એમનો વિશાળ પરિવાર. ત્યાં ઘરદેરાસર પણ હતું. જ્યાં આજે મહાકાત્ત છે. જે લોકો આવી રહ્યા હતા એમના સમાચાર નિરંતર તેઓશ્રી મેળવતા હતા. એમણે એવું કહ્યું કે શું કરી શકાય આમાં ?' શાસનસમ્રાટ પ્રવચનમાળા Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004571
Book TitleShasansamrat Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy