SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સંમેલનમાં પ્રારંભ મંગલ નિમિત્તે ખાત્ર i પ્રતિષ્ઠા, '૯૦નું સંમેલન જેવી ઘટનાઓ માટેજ ઐતિહાસિક ગણાઈ છે. આવા પ્રસંગોની નોધ લેવી જ પડે છે. પછી ભલે ઈષ્યાવાળો માણસ એક લીટીમાં નોધ લે અને ભાવવાળો માણસ દસ લીટીમાં નોંધ લે, પણ તેના વિના તેણે લખેલો ઈતિહાસ અધૂરો કહેવાય. મહારાજશ્રીનું અમદાવાદ પ્રતિ આગમન : ૧૯૯૦ના ફાગણ વદ ૩ના દિવસે સંમેલનનો પ્રારંભ થવાનો છે. નંદનસૂરીશ્વરજી મહારાજ જાત્રાને માટે ગિરનાર પધાયાં હતા. આ બાજુ મોટા મહારાજશ્રીને સંમેલન માટેજ અમદાવાદ જવાનું છે. વલ્લભસૂરીશ્વરજી મહારાજ પાલિતાણા હતા. તેઓ પાલિતાણાથી અમદાવાદ આવવા નીકળી ચૂક્યા છે. સોનગઢ ગયા તે વખતે પંન્યાસ ગંભીરવિજયજી મહારાજના શિષ્ય ચારિત્રવિજયજી મહારાજ ત્યાં હતાં. તેમણે વલ્લભસૂરિ મહારાજને કહ્યું, “આપ જાઓ છો પણ જો નેમિસૂરિ મહારાજને પૂરેપૂરા અનુસરશો તો સંમેલન સફળ જશે. એમની પાસે જે દીર્ધદષ્ટિ અને કુનેહ છે તેને ખપમાં લગાડજો.” આવી વણમાગી સલાહ ચારિત્રવિજયજીએ વલ્લભસૂરિ મહારાજને આપી છે. પણ વલ્લભસૂરિ મહારાજ તો આ વિચારના હતા જ. તેમણે તો છેક ૧૯૭૬માં નેમિસૂરિ મહારાજશ્રીને ઉદેપુરમાં કહ્યું હતું કે “આપ પધારો અને સંમેલન બોલાવો.” આપજ આ કામ કરી શકશો.” આ બાજુ દાનસૂરિ મહારાજ, પ્રેમસૂરિ મહારાજ હયાત. રામચંદ્રસૂરિ મહારાજની તે વખતે નાની ઉંમર, એક બાજુ ભૂપેન્દ્રસૂરિ મહારાજ તથા કાશીવાળા ધર્મસૂરિજી મહારાજના પ્રસિદ્ધ વક્તા એવા વિદ્યાવિજયજી મહારાજ ખૂબજ સમર્થ હતા. આવા નામી-અનામી સેકડો સાધુ મહારાજો તે વખતે બિરાજમાન. “શું થશે ?' દરેકની પાસે આ જ પ્રશ્ન. પરંતુ જવાબ કોઈની પાસે નહીં. બધાની સામે ધૂંધળું આકાશ, કહો કે અંધારું હતું. રાત્રિ વીતતી હોય અને વીતતાં વીતતાં વધુ ઘટ્ટ અંધારી અને ત્યારે તે અંધારાંને ખાળવા બધા પ્રયતો કરે તેમ વાતાવરણનાં કાજળઘેરા અંધારાને ખાળવા સૌ પહેલાં દહેગામમાં કેટલાંક સાધુઓ એક મીટિંગ બોલાવવામાં આવી. ગામડાંઓમાં, શહેરોમાં, સંમેલનમાં સાધુવર્ષદા સંમેલનમાં શ્રાવક સમુદાય એતિહાસિક કાવ્ય-૧ : ૫ ૬૯ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004571
Book TitleShasansamrat Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy