________________
શાસનસમ્રાટ
પ્રવચનમાળા
૪૬
Jain Education International 2010_02
પ્રતિષ્ઠા કરાવ્યાનું શકવર્તી, ઐતિહાસિક અને ભગીરથ કામ થયું હતું.
સંવત ૧૯૯૬માં જ્યારે આ દેરાસરને ૫૦૦ વર્ષ પૂરાં થયાં ત્યાં સુધીમાં એની એક કાંકરી પણ હાલી નથી. આપણું મન દુભાય તેવું કાંઈ ત્યાં હજુ સુધી બન્યું નથી. એ પાર્શ્વયક્ષની રજા માંગીને મહારાજ સાહેબે તીર્થોદ્વારનું કામ શરૂ કરાવ્યું. ધીમેધીમે કામ આગળ ચાલ્યું. એમાં સૌથી મોટો ભોગ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ આપ્યો છે. કસ્તુરભાઈનું પ્રદાન :
શેઠશ્રી કસ્તુરભાઈના જીવનમાં ઘણાં ઐતિહાસિક અને મહત્ત્વનાં કામો થયાં છે. ગિરિરાજ, આબુ વગેરેનાં. પણ એ સૌમાં રાણકપુરનો જીર્ણોદ્વાર એ સૌથી મોટું કામ છે. અહીં આદીશ્વર ભગવાનનું પરિકર નવું બનાવવાનું આવ્યું ત્યારે એમણે સૌથી પહેલી વાત કરી કે જે પાષાણમાંથી આ પરિકર પહેલાં બન્યું છે એ જ પાષાણ હોવો જોઈએ. આ કયો પાષાણ છે, એ કઈ ખાણનો છે એ નક્કી કરવા માટે છેક ઇટાલીથી તેના સ્થપતિઆર્કિટેક્ચરને બોલાવ્યા. તપાસ ક૨ીને એમણે નક્કી કર્યું કે જાવાલ પાસેની સોનારી નામની ખાણનો આ પાષાણ છે. તેઓ ત્યાં ગયા ત્યારે આખી ખાણ પુરાઈ ગયેલી હતી. કોઈને ત્યાં ખાણ હોવાની જાણ પણ ન હતી. પરંતુ વૃદ્ધજનોને પૂછીને ખાણ ફરીથી ખોદાવી. એમાંથી પાષાણ કઢાવ્યો અને એમાંથી હૂબહૂ પરિકર બનાવવામાં આવ્યું. અને તેને પ્રતિષ્ઠિત કર્યું. જૂનું પરિકર એમ ને એમ સાચવી રખાયું છે. આજે પણ રાણકપુર દેરાસરની બહારના ભાગમાં રીતસરનો એક આરસનો મંડપ બનાવી તેમાં આ પરિકર સાચવવામાં આવ્યું છે. અમે જાતે એ બરાબર જોયું છે. અમે જે દિવસોમાં ત્યાં ગયા તે વખતે સોભાગચંદજી જે ધરણાશાહના ચૌદમી પેઢીએ વારસદાર થાય તેઓ ત્યાં આવેલા હતા. તેમણે સાથે રહીને અમને બધું બતાવ્યું.
આ ગંજાવર કામ હતું. અને તે પણ વગડામાં બધાં સાધનો લઈ જવાનાં. સોમપુરાઓ, સલાટો દ્વારા ધીમું કામ ચાલે. એમ કરતાં ૨૦૦૯ના ફાગણ સુદ-૫ને દિવસે અદ્ભુત પ્રતિષ્ઠા થઈ.
રાણકપુરનો પ્રતિષ્ઠા મહોત્સવ :
માકુભાઈનો સંઘ જેમ વખણાય છે, જમનાભાઈ ભગુભાઈનું ઊજમણું જેમ વખણાય છે, માણેકલાલ ચુનીલાલનાં ઉપધાન વખણાય છે એમ રાણકપુરની પ્રતિષ્ઠા વખણાય છે. આજે એ લીટીને નાની બનાવે એવી એથી મોટી લીટી કોઈ દોરી શક્યું નથી. એક લાખ માણસ રાણકપુરની પ્રતિષ્ઠામાં ભેગું થયું હતું. બપોરે દ્વારોાટન થયા પછી કાગડા સિવાય ત્યાં કોઈ હાજર નહીં. બધા માણસો વિદાય થયા. મંડપો છૂટવા માંડ્યા. અમારા ગુરુ મહારાજ પોતે હાજર હતા. તેઓ કહે છે કે, બપોર પછી તો તેમને રહેવું ગમ્યું નહીં. અને પાંચ કલાક તેઓએ માત્ર દેરાસરની અંદર નિરીક્ષણ કરવામાં ગાળ્યા. આટલું મોટું ભગીરથ કાર્ય બિલકુલ વિઘ્ન વિના થઈ શક્યું તેનું કારણ પાર્શ્વયક્ષની સહાયતા છે.
પાર્શ્વયક્ષની મૂર્તિ અને કસ્તુરભાઈની દીર્ઘદૃષ્ટિ :
મારે તમારું એક ઘટના બાબતે ખાસ ધ્યાન દોરવું છે. જયારે જીણોદ્ધારની કાર્યવાહી પૂરી થવામાં હતી ત્યારે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના તે વખતના બા
For Private & Personal Use Only
www.jainelibrary.org