SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ આ સિવાય કેટલીક નીતિઓ પૂજયપાદ ગુરુ મહારાજે આપેલી છે; જેવી કે યતિઓની દવા ન કરવી, સાંજે દૂધ ન વાપરવું વગેરે. આ બધું બરાબર માનતા, તે વખતે પૂર્ણપણે પાળતા. આ સ્થિતિમાં તેઓ આચાર્યપદારૂઢ થયા. તે પછીનાં જે કામો એમની સામે આવ્યાં છે, જયાં જ્યાં એમણે પગલું મૂક્યું છે ત્યાં પંથ ખૂલતો ગયો છે, દીવાલ પણ દ્વાર બની છે. પત્થર આવ્યો તે પગથિયું બન્યું છે છતાં અવરોધ આવ્યો હોય તે સ્થિતિમાં તેઓ અચકાયા નથી. નાનાંમોટાં તીથો જેવાં કે કલિકુંડ, માતર, વામજ, કુંભારિયાજી વગેરેનાં કામો તો થયાં જ. અરે ! આજે કલોલમાં જે જિનાલય છે અને ત્યાં જે જૈન પરિવાર છે તે ઉપકાર પુજ્યપાદ શ્રીનો છે. રસિકલાલ બાલાભાઈના દાદા ગોરધનદાસ માસ્તર સ્થાનકવાસી પરંપરા છોડીને પૂજયશ્રીના ઉપદેશથી દેરાવાસી બન્યા હતા. તેમાં નીચે વિ. સં. ૧૯૬૪ મહા સુદ પાંચમે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી પ્રભુજી પેથાપુરથી , જમનાભાઈ ભગુભાઈ દ્વારા લાવેલા. તીર્થોનાં મોટાં કામો આ ત્રણ થયાં છે. કાપરડા તીથ, રાણકપુર તીથ, કદમ્બગિરિ તીર્થ. ઉપરાંત કુંભારિયા, શેરીસા જેવાં તીથોમાં મહારાજ સાહેબનું પ્રારંભથી મોટું યોગદાન રહ્યું છે. જે-જે તીથોમાં પોતે સંપૂર્ણ રસ લીધો ત્યાં તે સ્વરૂપે મહારાજસાહેબની સ્મૃતિ યોગ્ય રીતે સચવાઈ નથી. જો કે તેમને આ બાબતનો કદી આગ્રહ હતો પણ નહી. શેરીસાનું તેમણે પાયાનું કામ કર્યું છે. શેરીસા : આકાશવાણી દ્વારા આદેશ : શેરીસા નાનકડું ગામડું. માત્ર ઇતિહાસના પાના પર એનું નામ આવે. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ મંત્રબળે પ્રતિમાજી લાવેલા. આટલી વાતનો ઉલ્લેખ મળે, પરંતુ કોઈને એની નિશાની દેખાય નહિ. મહારાજ સાહેબના હાથે આ કામ થવાનું લખાયું હશે એટલે એક વાર તેઓ કલોલથી શેરીસા પધાયાં. શેરીસાથી ઓગણજ જતા હતો. માગશર સુદ ૧૦નો દિવસ, ઓગણજ જતાં રસ્તામાં ભૂલા પડ્યા. ત્યારે મહારાજ સાહેબને કાંઈક ભ્રમથી એમ થયું કે આપણે સાચા રસ્તે છીએ અને આગળના સાધુઓ ભૂલા પડ્યા છે. એટલે મોટેથી બૂમ પાડી. તે વખતે આકાશવાણી થઈ ‘તમારે એમ જવાનું નથી. તમે આ તરફ જાઓ.’ મહારાજ સાહેબે કહ્યું. “જે બોલનાર હોય તે પ્રત્યક્ષ થાય. શા માટે અમને આમ કહો છો ? અને તમે કોણ છો ?' બે ત્રણ મિનિટ સુધી કોઈ સામું આવ્યું નહીં. કોઈ સામું ન આવતાં મહારાજ સાહેબને ભમ જેવું લાગ્યું. તેથી તેઓ ચાલવા લાગ્યા. માંડ વીસેક ડગલાં ચાલ્યો હશે ને સામે બરાબર મોટો સાપ જોયો. તે સાપ આખો કુંડલાકાર થઈને બરાબર રસ્તાની વચ્ચે જ રહી ગયો. મહારાજ સાહેબે કહ્યું કે, ‘આ સંકેત છે. પેલો જે બોલનાર હતો તે આ જ છે. અને કહી રહ્યો છે કે તમે આમ ન જાઓ.’ अग्रेचलत्सु सर्वेषु मार्गे कुण्डलित: फणी। છad : સર્વે - જો મારોથ#7 // રૂ૦૮ / ध्रुवं देवानुभावोयं, श्रीमत्पार्श्वप्रसादतः । श्रुतपूर्वाऽपि सा वाणी नूनं देवकृतैव नु ॥ ३०९ ॥ તેઓ ઊભા રહી ગયા. ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. ત્યાં ફરી આકાશવાણી થઈ. તે મહારાજ સાહેબે સ્વીકારી. અને કહ્યું કે, ‘આપણને કહેવામાં આવે છે કે આપણે પાછા જવું જોઈએ. ” અને મહારાજ સાહેબ પાછા પધાયા. સૂપદાપો અને તીર્થોદ્ધાર : 3 3e Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004571
Book TitleShasansamrat Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy