SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ખરેખર તો એ વાંચવા જોઈએ.” જુઓ, કેવી ઊંચી ચીજો ઉપર આંગળી મૂકે છે ! બીજાને જયાં દીવાલ દેખાય છે ત્યાં એમને દ્વારનાં દર્શન થાય છે. હું આ અન્યોની નિંદાસ્વરૂપે નથી કહેતો, આપણા જ્ઞાન-ક્ષેત્રના દારિદ્રય વિશે કહી રહ્યો છું. વર્તમાનકાળના આપણે ત્યાંના કોઈકોઈ આચાર્ય ભગવંતોને પૂછી જોજો કે બાવીસહજારી' ગ્રંથ આપે જોયો છે ખરો ? ઉત્તર બહુ આનંદજનક નહિ મળે. એટલી હદે આવા મૌલિક ગ્રંથોનું અધ્યયન અત્યારે ઘટી ગયું છે. જ્યારે મહારાજશ્રીએ સીધા શ્રી હરિભદ્રસૂરીશ્વરજીના ગ્રંથો વાંચવાના શરૂ કર્યા. અષ્ટપ્રકરણનું વાંચનઃ શ્રાવકોનું આશ્ચર્ય : સં. ૧૯૫રની એક વાત છે. મહારાજ સાહેબ રાધનપુર પધારેલા. ત્યાં ચૈત્યપરિપાટી કરવા રોકાયેલા. બપોરના સમયે ઉપાશ્રયમાં બેસીને સ્વાધ્યાય કરતા હતા. શ્રાવકો વંદન કરવા આવ્યા. એ વખતના શ્રાવકોમાં દરેક ગામમાં બે-પાંચ તો એવા હોય કે જે બરાબર પારંગત કહી શકાય, શ્રાવકો વંદન કરીને મહારાજ સાહેબને પ્રશ્ન કરે છે, “સાહેબજી, અત્યારે શાનું અધ્યયન ચાલે છે ?' મહારાજ સાહેબ કહે છે, “અષ્ટકપ્રકરણ વાંચું છું.” શ્રાવકો આશ્ચર્યથી ફરી પૂછે છે, હરિભદ્રસૂરિ મહારાજનાં અષ્ટકજી ત્યારે કહે, હા, શ્રી હરિભદ્રસૂરીશ્વરજીના “અષ્ટક વાંચું છું.' આજે તો શ્રાવકને આ અષ્ટકોની ખબરેય નથી. “અષ્ટક' કહો તો “જ્ઞાનસાર અષ્ટક' સુધીની તેમની બુદ્ધિ પહોચે. ઉપાધ્યાય યશોવિજયજીએ રચેલા “જ્ઞાનસાર અક' વિશે તેમણે જાણ્યું હોય, સાંભળ્યું હોય કદાચ; પણ આ “અષ્ટકકરણ વિશે નહીં. શ્રાવકોએ આગળ પૂછવું, “સાહેબ, આપને દીક્ષાપત્યય કેટલો થયો ? જોકે આ પૂછવા માટે પણ હિંમત જોઈએ, ઊંચાઈ જોઈએ. એમાંયે આ તો નેમિસૂરીશ્વરજીને પૂછવાની વાત ! મહારાજ સાહેબે ખૂબ નમ્રતાથી જવાબ આપ્યો, “દીક્ષાયિને તો સાત વરસ થયાં.” પછી શ્રાવકો કશું બોલ્યા નહિ. એટલે મહારાજ સાહેબે પૂછ્યું, “શા માટે આમ પૂછવું પડ્યું ?' એ લોકો મહારાજ સાહેબને જવાબ આપે છે, “સાહેબ, અમે તો એવું જાણ્યું છે કે હરિભસૂરીશ્વરજી મહારાજના “અષ્ટકમકરણઆદિ ગ્રંથો વીસ વરસના દીક્ષા પર્યાયવાળા સાધુભગવંત જ વાંચી શકે.” મોટા મહારાજ કહે, “મેં તો એવું કશું જાણ્યું નથી. યોગોહનની વાત કરતા હો તો બરાબર છે. પણ હરિભદ્રસૂરિજીના ગ્રંથોના અર્થશબ્દશઃ સમજાતા હોય તો વાંચી શકવામાં કોઈ બાધ નથી.” સાહેબ, અમને સંભળાવશો ? . ખુશીથી.” શાસનસમ્રાટ પ્રવચનમાળા ૨૮ અને તે દિવસે સવારે રીતસર વ્યાખ્યાન શરૂ થયું. મહારાજ સાહેબે “અકપ્રકરણ” ઉપર ધોરાબદ્ધ વ્યાખ્યાન ચલાવ્યાં. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004571
Book TitleShasansamrat Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy