________________
માંડલીમાં છે, માંડલીના જોગ કર્યો નથી, વડી દીક્ષા થઈ નથી. પરિણામે ૧૯૪૬ના ચોમાસામાં મહારાજશ્રીના અભ્યાસનો વિકાસ થઈ શક્યો નહીં. તબિયતની પ્રતિકૂળતાને લઈને “સિદ્ધાંતકૌમુદી'નાં એ સૂત્રો, એ વૃત્તિ, એની આવૃત્તિ, એનું પુનરાવર્તન - આ કશો પરિશ્રમ લઈ શકાયો નહિ. વળી એ જ દિવસોમાં આંખ નબળી પડી. તાવ પણ સતત રહેતો હતો. છતાં અન્ય અભ્યાસથી તેઓ વિરમ્યા નહીં. લાંબી સોડ તાણીને સૂતા નહીં. તે વખતે વાંચીને ભણી શકાય તેવા ગ્રંથો શરૂ કર્યા. પોતે “રઘુવંશ' ભણે અને એમના ગુરુભાઈ ધર્મવિજયજી મહારાજ (કાશીવાળા ધર્મસૂરિજી જે પણ મહુવાના દોશી કુટુંબના હતા)ને રઘુવંશ' ભણાવે. આ કેવી પ્રતિભા ! કેવો આત્મવિશ્વાસ ! આવી વ્યક્તિને અધ્યાપકો તો સાક્ષીમાત્ર હોય છે.
સં. ૧૯૪૨નું ચોમાસું ઊતરતાં ઊતરતાં તબિયત સ્વસ્થ બની. એમને થયું કે સિદ્ધાંતકૌમુદી કોઈ પણ રીતે પૂરી કરવી જ જોઈએ.” ‘સિદ્ધાંતકૌમુદી' પૂરી થતી નથી એનું દુઃખ એમને હૃદયમાં ખટક્યા કરે છે. પોતાની મેળે પોતે છ વિગઈનો ત્યાગ કરે છે. નથી. ગંભીરવિજયજી મહારાજે કીધું કે નથી ભાનુશંકરભાઈએ કહ્યું પરંતુ જાતે જ આ છ વિગઈ ત્યાગનો નિર્ણય કર્યો. ઘણા લોકો વ્યાકરણનો આરંભ કરતા હોય છે પણ વ્યાકરણનો આ સ્વરૂપે અંત કરનારા કેટલા! આમ્રવૃક્ષનું કલ્પનાચિત્ર પૂજ્યશ્રીના સંદર્ભ:
આ જોઈને એક કલ્પનાચિત્ર સૂઝે છે :
આંબાના વૃક્ષ ઉપર મોર વ્યાપક રીતે ઊગે છે. એ મોરમાંથી મરવા થાય. એ ભરવામાંથી કેરી થાય. પણ હજુ એ કેરી વૈશાખના પૂરેપૂરા તાપ બનીને ખટાશમાંથી મીઠાશમાં પરિવર્તિત થવા જેટલી પક્વ થાય તે પહેલાં ક્યાંક કોઈ પોપટ ચાંચ મારીને પાડી નાખે, કાં તો મોટું વાવાઝોડું આવે અને મોર અને મરવા બધું જ ખરી પડે. તો ખરેખર ત્યાં ને ત્યાં રહીને, તાપ સહીને, ખટાશનું મીઠાશમાં પરિવર્તન પામીને મળે તેવી કેરીઓ કેટલી ? એક આંબા પર જેટલો મોર આવે છે એટલા મરવા નથી આવતા, જેટલા મરવા આવે છે એટલી કેરી નથી આવતી, અને જે કેરીઓ આવે છે તે બધી જ શાખવાળી નથી બનતી. જે શાખ પડે છે તે કેવા કેવા તબક્કામાંથી પસાર થયા પછી પડે છે તે કોણ જાણે છે ! એક પાણીના ટીપામાં મોતી થવાની સંભાવના જરૂર છે. સ્વાતિ નક્ષત્ર હોય, કાળુ માછલી હોય તે બધી વાત સાચી પણ તે પછીયે જે મોતી બને છે એની જે પ્રક્રિયા, એનું જે રૂપાંતર એનો સાક્ષી કોણ? પાણીના ટીપાનું મોતી બનવું એટલે? પાણીના ટીપાની કિંમત શું અને મોતીની કિંમત શું? આ એક અઘરી પ્રક્રિયા છે. એમાં કેટલાય ખડકો પસાર કરવા પડે છે, અને તે પસાર કરનાર એકલો જ જાણતો હોય છે.
તેવી જ વાત અહીં છે. મનુષ્ય કેટલાં, તેમાંથી સાધુ કેટલાં અને તેમાં મહત્તમ સાધુતાને વરનારા સાધુ કેટલા?
મહારાજશ્રી સિદ્ધાંતકૌમુદી પૂર્ણ કરવા છ વિગયનો ત્યાગ કરી એમનો અભ્યાસ ચાલુ રાખે છે. તે વખતે એક નિર્ણય લેવામાં આવ્યો. નેમિવિજયજીને આવી ને આવી રીતે માંડલીમાં રાખવા બરાબર નહિ, તેમને જોગ કરાવવા જોઈએ. વડી દીક્ષા કરાવવી જોઈએ.
- પણ, આ જોગ કરાવે કોણ ? વડી દીક્ષા આપે કોણ? પૂજ્યપાદ ભૂલચંદજી મહારાજ વિદ્યાભ્યાસમાં હરણાકાળઃ ૨ જયાં સુધી બિરાજમાન હતા ત્યાં સુધી આખાયે સમુદાયના બધા સાધુભગવંતોનાં યોગોહન
૧૯
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org