________________
તેમનામાં ખરેખરી અસામાન્યતા વસેલી હતી. એ દિવસથી જ એમણે અભ્યાસ શરૂ કર્યો
હવે આપણે પૂજ્યશ્રીના ગુરુ મહારાજ વગેરેનો પરિચય મેળવીએ. ગુરુવર્ણવર્ણન
વૃદ્ધિચંદ્રજી મહારાજ મૂળ પંજાબના, એમના ગુરુભાઈ મૂળચંદજી મહારાજ. એમના ગુરુભાઈ આત્મારામજી મહારાજ. એમના ગુરુ શ્રી બુટેરાયજી મહારાજ. એમના ગુરુભાઈ બીજા પણ હતા.
મૂળચંદજી મહારાજના એક શિષ્ય પંજાબી દાનવિજયજી મહારાજ હતા. આ બધા પંજાબથી આવેલા અને સ્થાનકવાસી પરંપરામાં જ હતા. બધું સમજયા પછી જાણ્યા પછી તેમને લાગ્યું કે આ બરાબર નથી. આ “ચૈત્યશબ્દની બનાવટ કરવામાં આવે છે. એ સ્પષ્ટ થયા પછી તેઓ પોતાની જાતે ખોળતા ખોળતા આવ્યા છે. એમનો વૈરાગ્ય અતિ પ્રબળ છે. માટે તો પંજાબ જેવા દૂર પ્રદેશથી અહીં આવ્યા છે. અહીં મણિવિજયજી દાદા મહારાજ પાસે પોતે સંવેગી દીક્ષા લીધેલી છે. આ વૃદ્ધિચંદ્રજી મહારાજ શાંત પુરુષ ગણાય છે. મૂળચંદજી મહારાજ બહુ પ્રખર અને તેજસ્વી. આત્મારામજી મહારાજ તેમના કરતાં બે ડગલાં આગળ વધે તેવા. સામાન્ય માણસોને તો કદી ગણકારે નહીં તેવા એ રાજપૂત હતા. એમનો અવાજ એવો કે જેવાતેવા માણસો તો ભાગી જાય. શારીરિક શક્તિ પણ એટલી જ. એટલી જ બૌદ્ધિક શક્તિ અને એવું જ દેઢ મનોબળ. આવા પુરુષોના કુળની અંદર શ્રી નેમિસૂરિ મહારાજ દીક્ષિત થયા.
તે પછી એક જ વર્ષમાં શ્રાવણ વદ અમાસના દિવસે એક પ્રસંગ બને છે. કલ્પધરનો દિવસ છે. સવારે ઉપાશ્રયમાં ઘણા શ્રાવકો આવેલા છે. વૃદ્ધિચંદ્રજી મહારાજ
જ્યાં બેઠા હતા ત્યાં શ્રાવકો વિનંતી કરવા આવ્યા. ‘સાહેબજી, પધારો, સમય થઈ ગયો છે. આજે કલ્પસૂત્ર શરૂ કરવાનું છે. ત્યારે પૂજ્યપાદ વૃદ્ધિચંદ્રજી મહારાજ નેમિવિજયજીને કહે છે, “જાઓ વ્યાખ્યાનમાં.” અને એ ગુરુ આજ્ઞા થતાં તેઓ પાટ ઉપર વિરાક્રયા અને સુબોધિકા વાંચવી શરૂ કરી. નવા ચીલા
પૂજયપાદ નેમિસૂરિ મહારાજ એક મહાન પુરુષ હતા. તેમણે બધા જ ચીલાઓ નવા પાડ્યા છે. એમની પાસે કશો જ આલેખ નથી, નકશો નથી. એમણે જ્યારે સાધુજીવનમાં પ્રવેશ કર્યો છે ત્યારે સાતેય ક્ષેત્રોનાં બધાં જ વહેણ સૂકાઈ ગયાં છે. દેરાસરો કેમ બનાવવાં, મૂર્તિઓ કેમ ઘડવી, અભ્યાસ શેનો કરાવવો, જોગ કેમ કરાવવા, પ્રતિષ્ઠા કેમ કરાવવી – આવી કોઈ માહિતી કોઈની પાસેથી તેમને મળી ન હતી. આ બધી જ માહિતી તેમની પ્રજ્ઞાથી અને પૂર્વભવની સાધનાના બળથી જ નવેસરથી શરૂ કરી છે. આ રૂડો પ્રતાપ એનો જ છે કે આજે શ્રી સંઘમાં આ બધાં વહેણો ખળખળ કરતાં વહી રહ્યાં છે. એમના જીવનનો લય તીથોદ્ધાર હતો. એમના સંગીતના સાતત્યનો ‘સા' તીથોદ્ધાર હતો. આ એક જ લયને વળગીને તેઓ ચાલ્યા છે. જો એક ઝરણું પણ એક લયથી ચાલે છે તો પહાડને પણ ભેદી નાખે છે, પહાડને રસ્તો કરી
તે કાલે તે સમયે ? આપવો પડે છે.
જન્મ-ધા-ગુરૂવગેવનઃ ૧
૧૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org