________________
એક નિમિત્ત એ બન્યું કે લક્ષ્મીચંદભાઈના કુટુંબમાંથી કોઈ પરલોકે પ્રયાણ કરી ગયું. એનો સંદેશો લક્ષ્મીચંદભાઈએ એક કાગળ દ્વારા અમરચંદભાઈને ઘરે લખ્યો. પત્ર નેમચંદે વાંચ્યો. વાંચીને વળતો ઉત્તર લખ્યો. એ ઉત્તરમાં સાહજિક સ્ફુરેલા શબ્દો આ હતા : ‘આ જન્મેલા માણસે અવશ્ય પરલોકે જવાનું છે. જે ધરમ ક૨શે એ એટલે અંશે સુખી થશે. માટે બીજી બધી આળપંપાળ કરવા કરતાં ધર્મ કરવો સારો છે. '
આવા સાદી રીતિએ લખાયેલા શબ્દો પિતાએ વાંચ્યા અને એ શબ્દોની વચ્ચે રહેલી જગા અને એમાં રહેલો અર્થ એમને વંચાઈ ગયો.
શબ્દો કહે છે એ તો ઉપરછલ્લું જ હોય છે. શબ્દોની વચ્ચે રહેલી ખાલી જગ્યા જ ખરેખર બોલકી હોય છે; જો સાંભળતાં આવડે તો.
કાગળ વાંચતાં લક્ષ્મીચંદભાઈ ધ્રૂજી ગયા. ‘આ છોકરો આવું લખે છે ? આનો ? તે ક્યાં પહોંચ્યો ?'
અર્થ શું
સાત ગુજરાતી અને ત્રણ અંગ્રેજી ચોપડી પૂરી કરી ત્યારે તેમની ઉંમર ૧૪ વર્ષની. ભાવનગર ગયા ત્યારે ૧૫ વર્ષની. અને આ પત્રલેખન વેળાએ ૧૬ વર્ષની. પિતાને થયું કે માત્ર ભણવા માટે મૂકેલો આ છોકરો આવું લખે છે !
બન્યું એવું કે બીજા કે ત્રીજા દિવસે જ એમના એક સગા ભાવનગર ગયેલા. તેઓ નેમચંદને મળવા ગયા. પૂછ્યું, ‘કેમ નેમચંદ, કેમ ચાલે છે ? શું ભણે છે ?’ ત્યારે તેઓ કહે, ‘અત્યારે મારા અભ્યાસનું કામ ચાલે છે. આપ પછી મળવા આવજો.' પેલા સગા ચોકી ગયા. છોકરો બદલાઈ ગયો લાગે છે. એમણે આવીને લક્ષ્મીચંદભાઈને આ વાત કરી.
પિતાનો સંદેશ
લક્ષ્મીચંદભાઈએ પુત્રને કાગળ લખ્યો, ‘મારી તબિયત બરાબર રહેતી નથી. તું જલ્દીથી આવી જા.'
આવા આત્માઓ ગુણજ્ઞ હોય છે એમ કૃતજ્ઞ પણ હોય છે. ‘પિતાજી બોલાવે છે ? એમની તબિયત બરાબર નથી ? બીજો કશો વિચાર કર્યા વિના જવું જ જોઈએ.’ ગુરુભગવંતને કહ્યું કે ‘પિતાજીનો પત્ર આવ્યો છે. એમની તબિયત સારી નથી. મને બોલાવ્યો છે. હું જાઉં છું ને ફરી પાછો સમય મળતાં જ આવી જઈશ.' પુત્રનું મહુવાગમન :
તે વખતે મહુવા-ભાવનગર વચ્ચે રેલવે-વ્યવહાર ન હતો. સામાન્ય રીતે બળદગાડા દ્વારા આવનજાવન થતું. નેમચંદ મહુવા પહોંચી, સૌપ્રથમ દેવદર્શન કરી ઘરે જાય છે. આ કેવા સુંદર સંસ્કાર છે ! જ્યાં જઈને પ્રભુના દર્શન પહેલાં, પછી બીજું બધું. સહજ રીતે આવી પરિસ્થિતિમાં મનમાં એક કલ્પનાચિત્ર રચાયું છે : પિતાજીની તબિયત સારી નથી. પત્ર લખી બોલાવ્યો છે. એટલે પિતાજી ખાટલામાં સૂતા હશે. એમને વૈઘની કશીક દવા ચાલતી હશે. હું જઈશ એટલે મારી જોડે કાંઈક વાતચીત કરશે. છળનો અહેસાસ :
પરંતુ ઘરે પગ મૂકતાં જોયું કે ત્યાં તો હર્ષ-કિલ્લોલનું વાતાવરણ હતું. પિતાજી ખુશ થતાં બોલ્યા, ‘નેમચંદ ! આવી ગયો ! બહુ સારું કર્યું. ' ત્યારે નેમચંદના હૃદયમાં શેરડો પડ્યો કે ‘શું છે આ બધું ?' જેમ બે શબ્દોની વચ્ચે જગા હોય છે તેમ વાતાવરણમાં
Jain Education International. 2010_02
For Private & Personal Use Only
તે હાલે તે સમયે :
જ્ન્મ-ીક્ષા-ગુરુવર્યવર્ણાનઃ ૧
C
www.jainelibrary.org