________________
(ચા ૧
તે કાલે તે સમયે : જન્મ-દીક્ષા-ગુરુવર્ગવર્ણન
પ્રતિસ્રોત - અનુસ્રોતગમન
શ્રી અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનને પામ્યા પછી પોતાના જીવનની રગેરગમાં એને વસાવવું, એને ઉતારવું એ બહુ કપૂરું કામ છે. એક શબ્દમાં કહેવું હોય તો ‘પ્રતિસ્રોતગમન’ કામ છે. ‘અનુસ્રોતગમન’ અને ‘પ્રતિસ્રોતગમન’ એવા બે શબ્દો આવે છે. સ્રોત એટલે વહેણ. પ્રતિસ્રોત એટલે સામા પૂરે ચાલવું તે: અનુસ્રોત એટલે વહેણમાં તણાઈ જવું તે.
સંસાર એ વહેણમાં તણાવાના સ્વભાવવાળો છે. જિનશાસન એટલે જ વહેણમાં સામે પૂરે તરવાની વાત છે. પૂજ્યપાદ પં. પદ્મવિજયજી મહારાજે નવપદજીની પૂજામાં મુનિજીવનની વાત કરતી વખતે એ વાત કરી છે કે સંસારનો તટ પ્રતિસ્રોત તરતાં તરતાં આવે. તમને ખબર છે કે પ્રતિસ્રોતગમન કેટલું કપરું છે ! તેમાં પ્રવાહ સામે જવા માટે શક્તિ વાપરવી પડે અને પ્રવાહને સામો ઝીલવો પડે. સંસાર એ ઢાળ જેવો છે એને
Jain Education International 2019_02
For Private & Personal Use Only
તે કાલે તે સમયૅ : જ્ન્મ-ઈંક્ષા-ગુરુવર્યવર્ણનઃ૧
૧
www.jainelibrary.org