________________
રહે એટલે પૂરા ૨૭ ડંકાની થાળી વગાડવી જોઈએ. ચૈત્યની બહારના ભાગમાં કંદરૂપનો ધૂપ સતત ચાલુ રાખવો.
ચારે બાજુ સુવાસિત પુષ્પોના પગર (ઢગલીઓ) ભરવા. ઉપર જણાવ્યું તેમ જો અંગલૂછણા ન જોઈએ તો ફળ નૈવેદ્યની તો વાત જ આવતી નથી. એ માટે પૂજારીને શું મળશે એ વિચાર ન કરવો; એને માટે અલગ વિચારણા થઈ શકે. અભિષેકના આગલા દિવસે જ પૂજારી તથા અન્ય કર્મચારીઓને આમંત્રી તે બધાને પ્રીતિ ભોજન કરાવી સારી પહેરામણી આપીને ખુશ કરવા અને તેમની હોંશ વધારવી. (પહેરામણી તરીકે વસ્ત્રજોડી, વાસણ અને રોકડ રકમ આપવી ઉચિત રહેશે.)
અભિષેકનું મૂળ વિધાન ઉપાધ્યાય શ્રી સકલચંદ્રજીએ પ્રયોજ્યું છે. તે પછી પૂજ્યપાદ આચાર્ય શ્રી ઉદયસૂરિ મહારાજે પ્રાચીન શ્લોકો ઉમેરીને એક સરસ સંકલ્પના કરીને વર્તમાન અભિષેકના શ્લોકો પ્રચલિત કર્યા છે. બારમા સૈકાની આસપાસમાં “
ગણેશ વિધિ" પ્રવર્તમાન હતી તેની સંરચના આચાર્ય શ્રી વાદિવેતાલશાંતિસૂરિ મહારાજે કરેલી છે.
અભિષેકજળમાં અત્તર અવશ્ય ભેળવવા. શિશિરમાં હીનાનું અત્તર, ગ્રિષ્મ ઋતુમાં ખસનું અત્તર તથા વર્ષા ઋતુમાં ગુલાબનું અત્તર ઉચિત ગણાશે. અભિષેક: ૧૦
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org