________________
એ આસન ન તો અન્યને આપવું કે ન અન્યનું લેવું. ૪. ધર્મસ્થાનકમાં પ્રવેશ કર્યા પછી શ્લોક,
સ્તુતિ, સ્તવન, સૂત્રો સિવાય સંપૂર્ણ મૌન પાળવું. ૫. અંતરાયવાળી બહેનોનો પ્રવેશ સર્વથા | નિષિદ્ધ કરવો. ૬. “કલ્યાણ થાઓ વિશ્વનું” એ કડીનું ગાન
સમૂહ સ્વરોમાં સહુએ સાથે કરવું. આવા આચારો વિષે આપે સમજાવ્યું. પ્રભુજીના અભિષેક કેમ કરાવવા એ બાકી રહ્યું છે. તે સવિસ્તાર સમજાવવા કૃપા કરશોજી.
ઉત્તર : સૌ પ્રથમ એક વાત મનમાં અંકિત કરી લેવી. રાગ અને દ્વેષની વૃત્તિથી મુક્ત, જીવમાત્ર પ્રત્યે કરૂણાના ભંડાર સમા અરિહંત પરમાત્માની ભક્તિ કરવાની છે.
કહ્યું છે “પાપક્ષ શ્રી વિનર સેવા” પાપ જવાના હોય ત્યારે જ શ્રી જિનરાજની સેવા કરવાની ક્ષણ મળે. વળી આ પ્રભુના અભિષેક છે, અષ્ટપ્રકારી પૂજા નથી. પ્રભુજીને એક અભિષેક કર્યા પછી અંગલુછણા કરાય છે તે કદાપિ ન કરવા. પ્રભુ પ્રતિમા પર ફુલ ચડાવેલા હોય તે પણ ન ઉતારવા. દીવા ચાલુ જ રહેવા જોઈએ. અભિષેકના શ્લોક સંપૂર્ણ બોલાઈ
૬૯: અભિષેક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org