________________
આ પ્રસંગ શ્રેષ્ઠપણે ઉજવાય એવો શ્રી રજનીકાન્ત દેવડીના મનમાં સંકલ્પિત ભાવ હતો. વિ. સં. ૨૦૪૬ ના વૈશાખ સુદ ૪ ના દિવસે અમે તળાજાથી ઝાંઝમેર જતાં રસ્તામાં પીથલપુર ગામમાં વિહારમાં હતા. તેઓ તેમના કલ્યાણમિત્ર ચંદુભાઈ ઘેટીવાળા સાથે અહીં આવેલા. મનમાં ઉમંગ ઉભરાતાં એ અમારી સમક્ષ રજૂ કરતા હતા. “અભિષેક નિમિત્તે જે જળ લાવવાનું છે તેની જલયાત્રા (વરઘોડો) જોનારના દિલમાં વર્ષો સુધી દશ્ય જડાઈ જાય એવી કરવી છે !” મુનિશ્રી રાજહંસવિજયજી પાસે કલિકાલસર્વજ્ઞના “ત્રિષષ્ટિ”ની પોથી હતી. એના પ્રથમ પર્વમાં ભગવાન ઋષભદેવ દીક્ષા લેવા શકટાનન ઉદ્યાનમાં પધારે છે તેનું વર્ણન છે. તેમાં નટકુળનું વર્ણન, વંશનર્તકોનું વર્ણન, તાલારાસકોનું વર્ણન, ચચ્ચરી નૃત્યનું વર્ણન - આ બધું સંસ્કૃતમાંથી ગુજરાતી કરીને તેમને સંભળાવ્યું. સમગ્ર વર્ણન તેમણે મન-બુદ્ધિમાં બરાબર સ્થિર કરી લીધું અને મનોમન તૈયારી આરંભી દીધી.
આ અભિષેકનો પ્રસંગ તો વિ. સં. ૨૦૪૭ પોષ સુદી ૬ ના ઉજવાયો પણ તે માટેની વિશાળ પાયાની યોજનાબદ્ધ અને વ્યવસ્થિત તૈયા૨ી વહેલી શરૂ કરી હતી.
વિ. સં. ૨૦૪૪ માં જે ઔષધિ-દ્રવ્યો, ફળ નૈવેધ વગેરે હતા તેના કરતાં અનેક ગણી સંખ્યામાં આ અભિષેકમાં આણવામાં આવ્યાં હતાં. હીરા-માણેક
અભિષેક: પર
Jain Education International 2010_02 For Private & Personal Use Only
www.jainelibrary.org