________________
કુંડમાંથી પાણી ઉભરાઈને પગથિયા પર થઈને વહી રહ્યું હતું. સર્વત્ર જળબંબાકાર જણાતું હતું.
આકાશ ચોખ્ખું થતું હતું. તેનો ભૂરો ભૂરો રંગ મન અને નયનને ઠંડક આપી રહ્યો હતો. મન અને તનમાં ઉત્સાહના ફુવારા ઊડી રહ્યા હતા. રુંવાટે રુંવાટે તૃપ્તિ નીતરી રહી હતી. બહાર ને અંદર શીતળતા વીંટળાઈ વળી હોય એવું લાગતું હતું. જાણે જીવન ધન્ય બન્યું! જંબૂવિજયજી મહારાજે કરેલું કમશાના ઉદ્ધારનું વર્ણન કર્ણમાર્ગે થઈ હૃદયે પેસી પોતાનું આસન જમાવતું હતું.
અભિષેક વખતે એકબીજાના મનમાં કેવાં કેવાં સંવેદન જાગ્યાં?
મદમિયા (હું પહેલો, હું પહેલો) એ રીતે બધા કહી રહ્યા હતા.
સહુને કાંઈ ને કાંઈ કહેવાનું હતું. જાણે સહુ એકબીજાના મનની વાત જ કહી રહ્યા હતા.
અમે તળેટી નજીક આવી રહ્યા હતા. ઉપરથી જોતાં પાલિતાણા શહેરનો વિસ્તાર અને આજુબાજુની નાનીનાની પર્વતમાળા, તડકા અને છાંયડાની સંતાકુકડીથી રમ્ય દીસતી હતી.
ગઈ કાલ સુધી જે બધું ભૂખાળવું અને વિકરાળ ભાસતું હતું તે બધું આજે રમ્ય અને ભવ્ય લાગતું હતું. પ્રભુએ આજે અનરાધાર કૃપાથી આપાદમસ્તક નવરાવ્યા હતા. રાજા જેમ સારા સમાચાર લાવનાર દાસીને થૌત મર્તા (કાયમને માટે દાસીપણું મીટાવી દ)
૪૩: અભિષેક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org