________________
બનાવે તેમ આજે પ્રભુએ વિપરીત કર્યું. કાયમ માટેનું પ્રભુનું દાસપણું અંકે કરી આપ્યું ! કરારનામા પર પ્રભુએ સહી કરી દીધી. ધન ધન દાડો રે, ધન્ય વેળા ઘડી રે એ શબ્દો સાર્થક બન્યા.
આવા વિચારોમાં બાબુનું દેરું અને તળેટી ક્યારે આવ્યાં તે ખબર ન રહી. ગિરિ-ચરણે વિદાય પ્રણામ કરીને આગળ વધ્યા. જંબૂવિજયજી મહારાજને વિશાનીમામાં જવાનું હતું. એ રસ્તો આવી ગયો, પણ તેઓ ત્યાં ન વળ્યા અને કેસરીયાજીનગર સુધી આવ્યા. તેમનું મોં મરક-મરક થયા કરતું હતું. મોં પર પ્રભુના તેજની આભા તરવરતી હતી. મેં કરેલાં ઉપવાસથી તેઓ પ્રમુદિત થયા હતા.
સાંજ પડતાં ફરી કાળાં-કાળાં વાદળાં ચડી આવ્યાં. આકાશ ગોરંભાયું અને એ જ ક્રમથી ઝડીઓ શરૂ થઈ. જાણે હેલી મંડાઈ ! ગામ લોકોએ ઘણાં વર્ષે આવો, મન મૂકીને વરસતો વરસાદ જોયો. ડોળીવાળા ભાઈઓ, પાણીવાળી બાઈઓ અને ઘોડાગાડીવાળા - આ બધાના મોંમાં એ દિવસે એક સાથે રામ વસ્યા હોય તેવું લાગ્યું. કોઈ કહે, “આદેસર દાદા સાચા છે. ખરી મહેર કરી. જુઓને ! ઘડીમાં કેવો ખંગ વાળી દીધો !
એક ડોળીવાળા દાદા તો આકાશ તરફ હાથ કરી કહે માણસ મહેનત કરે એક દિ માં વીઘું ખેડે, દીનોનાથ દીયે નવખંડ ઓછા પડે.
જુગ જુગ જીવો આદેસર દાદા.
અભિષેક : ૪૪
Jain Education International 2010_02 For Private & Personal Use Only
www.jainelibrary.org