________________
તો આજની ખુશાલીમાં એક ઉપવાસ કરી લઈએ. મન ઘરાઈ ગયું છે. હૈયું ઓવારી ગયું છે. ચિત્તમાં આનંદના પૂર વહ્યાં છે.
વળતાં, જંબૂવિજયજી મહારાજ સાથે જ, ભીના ભીના પગથિયે પવનથી સૂકા થયેલા ખૂણે-ખૂણે પગ મૂકતાં મૂકતાં દાદા પ્રત્યેની અહોભાવની છાલકથી ભીંજાતા ભીંજાતા રામપોળની બહાર આવ્યા. થોડે આગળ વધતાં, જાલી-મયાલી-ઉવયાલીની મૂર્તિ પાસેની બખોલમાંથી તેની ઉપરના અદીઠ પોલાણમાંથી એક અનામી ઝરણું વહી આવતું જોયું. પછી તો આગળ હનુમાનધારાની નીચે ભૂખણદાસના કુંડમાં જોયું તો કુંડ છલકાઈ ગયેલો અને બધું પાણી તો પાસેના પગથિયા ઉપર થઈને નીચે દોડતું જતું હતું. ઝડપી ચાલીને છાલાકુંડ આવ્યા. આમ નીચે જોયું તો શેત્રુજીના જળ ચળકતાં હતાં.
જંબૂવિજયજી મહારાજના મુખથી રોચક શૈલીમાં કમશાહના ઉદ્ધારની રસતરબોળ કથા ચાલુ હતી. ઉત્તરોત્તર જિજ્ઞાસા વધતી હતી. હું? કહો છો? એવું હતું? ના હોય! આવા ઉદ્દગારોની વણથંભી વણજાર ચાલતી હતી. બધું સાંભળતાં સમજતાં મન અહોભાવથી છલકાતું હતું. આ તરફ પણ હાઈને ઉજળા થયેલાં વૃક્ષોના પાંદડાં પરથી અમૃત ટપકી રહ્યું હતું. પગથિયાંઓ પરથી પાણી સતત દદડી રહ્યું હતું. જતી વખતે જે કુંડો ખાલીખમ હતાં તે બધા છલકાઈ ગયા હતા. બધા જ અભિષેક: ૪૨
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org