________________
દાદાના દેરાસરના ગર્ભગૃહમાં, રાયણ પગલાં તથા પુંડરીકસ્વામીના દેરાસરના ગર્ભગૃહમાં પહેલા અભિષેકની સર્વ સામગ્રી પહોંચાડાઈ હતી. આ ત્રણે સ્થાને એકસાથે અભિષેક થવાના હતા. કુસુમાંજલિમાં માત્ર જૂઈ-જાઈનાં સફેદ ઝીણાં કુસુમો છાબ ભરી-ભરીને અપાયા હતા - સુવuદ્રવ્યસંયુક્ત ૦ એ પહેલા અભિષેકનું જળ, જે જળમાં કેસૂડાનાં ફૂલોની સૂકી પાંદડીઓ, સુગંધી વાળો વગેરે દ્રવ્યો એ આધારજળમાં સારી રીતે ઘૂંટીને ભેળવવામાં આવ્યાં હતાં, તે જળમાં તે તે અભિષેકની ઔષધિ-દ્રવ્યો મંત્રોચ્ચારપૂર્વક વાસક્ષેપ કરીને ભેળવવામાં આવ્યાં અને ક્રમ મુજબ જ્યારે જે અભિષેક આવે ત્યારે આ સામગ્રી મોટા પાત્રમાં ભરી ત્રણે જગ્યાઓએ મોકલવામાં આવતી. વાતાવરણ દિવ્ય સુગંધથી ભર્યું-ભર્યું બની ગયું હતું.
પહેલાં, બીજા અને ત્રીજા અભિષેક પછી ચોથો, ત્રિવૃત્તિ નામનો અભિષેક આવતો હતો. ત્રીજા અભિષેક બાદ નાની નાની થાળીઓમાં મૃત્તિકાનું પ્રવાહી બધે મોકલાવાયું. આ મુલાયમ મૃત્તિકા વડે હળવે હાથે જિનબિંબને મર્દન કરાવાયું. આવા મુલાયમ મર્દનલેપન થતાં પ્રભુજીની પ્રતિમાની પ્રતિભા દેદીપ્યમાન થઈ ! આવું રૂપાળું સ્વરૂપ જોતાં સંગીતકાર ગજાનનભાઈની સૂરીલી પંક્તિઓ મનમાં ગૂંજવા લાગી.
આદિનાથની મૂરતિ અલબેલી...
અભિષેક: ૩૪
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org