SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જળ અને મૃત્તિકા! બધાએ હર્ષભરી કીકીયારી કરી. બધું જ આવી ગયું. બધું જ આવી ગયું. હવે તો બસ, દાદાના અભિષેક ..... ૩ - અભિષેકની સાથે સાથે પ્રશ્ન:વિ. સં. ૨૦૪૪ના અષાઢ સુદિ એકમ ગુરુવાર પુષ્યનક્ષત્રમાં દાદાના અભિષેક થયા અને તેનું વર્ણન આપે કર્યું તેમાં ઔષધિ-દ્રવ્યો વગેરેને એલ્યુમિનિયમના ડબામાં ભરીને ૨૩ ડોળીમાં ઉપર ચઢાવવામાં આવ્યા તેવું કહ્યું તો જે ભાવિક ભક્ત આ લાભ લીધો હતો તેના તરફથી તો ઘણી ઉદારતા હતી તો એ ઔષધિ તથા દ્રવ્યો ચાંદીના વાસણો કે ચાંદીના દાબડામાં લઈ જવાનું રાખ્યું હોત તો એ અતિ ઉત્કૃષ્ટરૂપ ભક્તિ થાત; એવું કેમ ન કર્યું? ઉત્તરઃ પદાર્થનો અતિરેક જેમ અભાવનું કારણ બને છે તેમ વ્યક્તિનિષ્ઠ આચરણનો અતિરેક અહંકારનું કારણ બને છે. ભાવનામૂલક અતિરેકની વાત અલગ છે પણ સ્પધામૂલક અતિરેક તો અહંકાર લાવે જ. કોઈએ ન કર્યું હોય તેવું કરવું છે કે મેં કર્યું આવું જ્યારે બને છે ત્યારે અહંકાર આવે છે, અને એ અહંકારથી તો ભક્તિનું હાર્દ કે તત્ત્વ જ લોપ પામી જાય છે. પછી જે રહે છે તે આડંબર હોય છે, નિદ્માણ ઠઠારો હોય છે; જેના વડે કામ નીપજવાનું છે એ તત્ત્વ જ ન ૧૯ : અભિષેક Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004570
Book TitleAbhishek
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherPathshala Prakashan Surat
Publication Year2008
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy