________________
જળ અને મૃત્તિકા!
બધાએ હર્ષભરી કીકીયારી કરી. બધું જ આવી ગયું. બધું જ આવી ગયું. હવે તો બસ, દાદાના અભિષેક .....
૩ - અભિષેકની સાથે સાથે પ્રશ્ન:વિ. સં. ૨૦૪૪ના અષાઢ સુદિ એકમ ગુરુવાર પુષ્યનક્ષત્રમાં દાદાના અભિષેક થયા અને તેનું વર્ણન આપે કર્યું તેમાં ઔષધિ-દ્રવ્યો વગેરેને એલ્યુમિનિયમના ડબામાં ભરીને ૨૩ ડોળીમાં ઉપર ચઢાવવામાં આવ્યા તેવું કહ્યું તો જે ભાવિક ભક્ત આ લાભ લીધો હતો તેના તરફથી તો ઘણી ઉદારતા હતી તો એ ઔષધિ તથા દ્રવ્યો ચાંદીના વાસણો કે ચાંદીના દાબડામાં લઈ જવાનું રાખ્યું હોત તો એ અતિ ઉત્કૃષ્ટરૂપ ભક્તિ થાત; એવું કેમ ન કર્યું?
ઉત્તરઃ પદાર્થનો અતિરેક જેમ અભાવનું કારણ બને છે તેમ વ્યક્તિનિષ્ઠ આચરણનો અતિરેક અહંકારનું કારણ બને છે. ભાવનામૂલક અતિરેકની વાત અલગ છે પણ સ્પધામૂલક અતિરેક તો અહંકાર લાવે જ. કોઈએ ન કર્યું હોય તેવું કરવું છે કે મેં કર્યું આવું જ્યારે બને છે ત્યારે અહંકાર આવે છે, અને એ અહંકારથી તો ભક્તિનું હાર્દ કે તત્ત્વ જ લોપ પામી જાય છે. પછી જે રહે છે તે આડંબર હોય છે, નિદ્માણ ઠઠારો હોય છે; જેના વડે કામ નીપજવાનું છે એ તત્ત્વ જ ન
૧૯ : અભિષેક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org