________________
તળાજા સુધી તો ત્રાહિમામ થઈ જવાય તેવી ગરમી જ લાગી. તળાજાથી સાંજે વિહાર કરવો પડે તેમ હતો તેથી નીકળ્યા તો ખરા, પણ ચારે બાજુ - ઉપર નીચે, આજુ- બાજુ બધેથી ગરમી જ ગરમી. આંખને સાતા આપે એવાં ઝાડ પણ ન દેખાય. રસ્તા પર અમે એકલા જ હતા.
તળાજાની ટેકરી પાસેથી નીકળ્યા ત્યારે એક બાજુ વાડીના ઊંચા ઊંચા પર્ણવિહીન દિગંબર વૃક્ષો અને બીજી બાજુ પથ્થરિયો પહાડ - એ બને જોયા ત્યારે એમ લાગ્યું કે જાણે કવિ જયંત પાઠકે અહીં રહીને જ જાણે એ પંક્તિ ન રચી હોય તેવી બંધબેસતી એ બે લીટી સ્મૃતિમંજુષામાંથી બહાર ધસી આવી. જપમાં ઊભાં ઝાડ અને આ તપમાં બેઠા પહાડ,
ચકલું ચે ના ફરકે જાણે ધોળે દિવસે ધાડ. દાઠા - વાલાવાવ થઈને અમે મહુવા પહોંચ્યા. મહુવામાં તો સાચે જ શીતળતાનો અનુભવ થયો. માલણ નદીના કાંઠે ઘેઘૂર વૃક્ષોની હારમાળા, ઊંચી નાળિયેરીના ઝૂંડ જાણે અમને આવકારી રહ્યા હતા.ઘેરી છાયા પાથરતી, ચીકુની ઘટ્ટ વાડીઓની ગાઢ ઠંડક માણવા જાણે
ત્યાં જ બેસી જવાનું મન થઈ જાય ! અને આંબાઆંબાવાડીઓ જોઈને તો કવિ નાનાલાલની પંક્તિ ત્યાં યાદ આવી ગઈ?
જાણે ટોળે વળેલી સહિયર રમતી.
આશ્વની એવી ક્રૂજે. અભિષેક: ૬
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org