________________
તપાગચ્છાચાર્યની સજ્ઝાય
[નિંદરડી વેરા હુઈ – એ દેશી]
શ્રી. વિજયધર્મસૂરીશ્વરજી,' ગછપતિના હો ગુણગણ અભિરામ કે, તપગચ્છપતિ વિરાજતા, રૂપે સુંદર હો જાણું નૃપ કામ કેશ્રી ૧ તુમે ધર્મધુરંધર વીરના, શાસન માંહે કરુણાના સિંધુ કે, ઘો અમિય સમાણી દેશના, નિષ્કારણ ગુરુ જગના બંધુ કે–શ્રી ર એહવા ગુરુની ગોઠડી થોડી પણ હો સિવ જનમનો સાર કે, થોડું પણ ચંદન ભલું, શું કીજે હો બીજો કાઠનો ભાર કે-શ્રી ૩ હેજ હૈયાનો ઉલ્લસે, જો બાઝે હો ગુણવંતશું ગોઠ કે, નહિ તો મનમાંહે રહે, વિ આવે તો તસ વાત તે હોઠ કે-શ્રી ૪ મર્યાદા ચરણ ગુણે ભર્યા, મુજ મલિયા હો સૂરિરાજ સુરીંદ કે, મનના મનોરથ સહુ ફળ્યા, વળી ટળીયા હો દુઃખદોહગ દૂર કે–શ્રી પ દૂર રહ્યા કિમ જાણીએ, ગુણવંત હો નિજ ચિત્ત હજૂર કે, વાચક જસ કવિ ગુણ તણો, ઈમ સેવક હો લહે સુખ પંડુર કે–શ્રી ૬
૧. શ્રી વિજ્યધર્મસૂરીશ્વરજીને બદલે શ્રી વિજયદેવસૂરીશ્વરજી અથવા શ્રી. વિજયપ્રભસૂરીશ્વરજીનું નામ સંભવે છે.
તપાગચ્છાચાર્યની સાય
Jain Education International_2010_02 For Private & Personal Use Only
૪૫૫
www.jainelibrary.org