SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ પાસત્યાદિકને પણ સંયમ,−ઠાણ કહ્યો જે હીણો; શુદ્ધ-પ્રરૂપક પવયણે શાસન, કહિંએ ન હોએ ખીણો ! રે. લોકો ! ૨૬ જિન વિણ અછતું ચરણ ન કરીએ, હોય તેતો ઉદ્ધરીએ; નવો મારગ જન આગેં ભાખે, કહો કિણિ પરિનિસ્તરીએ રે ? લોકો ! ૨૭ સંજમ-ઠાણ વિચારી જોતાં, જો ન લહે નિજ સાખે; તો જુઠું બોલીને દુર્મતિ !, સ્યું સાધે ગુણ પાખે રે ? લોકો ! ૨૮ સંયમ વિણ સંયતતા થાપે, પાપ-શ્રમણ તે ભાખ્યો; ઉત્તરાધ્યયનેં સરલ સ્વભાવે શુદ્ધ-પ્રરૂપક દાખ્યો રે. લોકો ! ૨૯ સુવિહિત ગચ્છ ક્રિયાનો ધોરી, શ્રી હરિભદ્ર કહાએ; એહ ભાવ ધરો તે કારણે, મુજ મન તેહ સુહાએ રે. લોકો ! ૩૦ શુદ્ધ દ્રવ્ય-સંયત તે ઇણિ પરિ, ભાવ-ચરણ પણિ પાવે; પ્રવચન-વચન-પ્રભાવે તેહના, સુરપતિ પણિ ગુણ ગાવે રે. લોકો ! ૩૧ શુદ્ધ-કથક-વચનેં જે ચાલે, મૂલ ઉત્તર ગુણધારી; વચન ક્ષમાદિક રંગે લીના, તે મુનિની બલિહારી રે. લોકો ! ૩૨ પૃજનિક જ્ઞાને જ્ઞાનાધિક, સંજત ચરણ વિલાસે; એકે નહિ જેહને બિહુ માંહે, કિમ જઇએ તસ પાસે હૈ ? લોકો ! ૩૩ જિમ જિમ પ્રવચન-જ્ઞાનેં ઝીલે, તિમ સંવેગ તરંગી; એ આવશ્યક-વચન વિચારી, હોજો જ્ઞાનનો રંગી રે. લોકો ! ૩૪ જ્ઞાનાધિકના ગુણ જે દૂર્ષે, કષ્ટ કરે અભિમાની; પ્રાયે ગંઠી લગે નવિ આવ્યા, તે ખુતા અજ્ઞાનેં રે. લોકો ! ૩૫ ૧. પાસસ્થાદિકમાં પણ સંયમ થાનક કહિઉં કોઈ હીણું. ૨. કહિð: ૩. જિન. ૪. ધ૨તો. ૫. પ્રભાવક. ૪૪૦ Jain Education International 2010_02 ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy