SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચિત ઘરની ભિક્ષા લેવે, ન કરે સમુદાણી; વસતિ–દોષ ન તજે દીતાદિક, જિન-આણા મનિ આણી રે. લોકો! ૬ વસ્ત્ર-પાત્ર-દૂષણ નવિ ટાલે, કરે પતિતનો સંગો; કલહ વૈરની વાત ઉદીરે, મન માન્યું તિહાં રંગો રે. લોકો ! ૭ હીણો નિજ પરિવાર બઢાવે, આપ કષ્ટ બહુ દાખી; ચઢિયો તેહને કિણીપરે કહીઈ ?, સૂત્ર નહિ જિહાં સાખી રે. લોકો! ૮ ન ગણે ઉત્તર ગુણની હાણી, સૂત્રક્રિયા માંહીં પંગુ, દુઃખ સહસે જિમ ઉપદેશમાલે, બોલ્યો મથુરા મંગુ રે. લોકો ! ૯ એક મૂળ કારણ ચિંતવતાં, આવે મોટું હાંસું, પંચ મહાવત કિહાં ઉચ્ચરિયાં ? સેવું કેહનું પાસું રે. લોકો! ૧૦ પહેલાં જે વ્રત જૂઠ ઉચ્ચરિયાં, તે તો નાવે લેખે; ફેરીને હવે તે ઉચ્ચરી ઇં, “પંચ લોક જિમ દેખે રે. લોકો ! ૧૧ મુનિને તે સઘળું સાચવવું, વાત ઘટે નવિ કૂડી; શુદ્ધ-પ્રરૂપકની જે જે યતના, તે તે જાણો રૂડી રે લોકો ! ૧૨ પહિલાં મૂલ ગુણથી હીણો, ફિરી દિક્ષા તે લેવે; ચરણ અંશ હોઈ તે તપ છેદ, ઉદ્યમ મારગ સેવે રે લોકો ! ૧૩ એહવું ભાષ્ય કહ્યું વ્યવહાર, ક્રિયામૂઢ નવિ જાણે, અધિકાઈ દાખી કોઈ ફેર, મતવાલો મત તાણે રે. લોકો! ૧૪ શુદ્ધ-કથકને કહે અજ્ઞાની, ઘણી ઉપધિ જે ધારે, દ્વિવિધ બાલ તે મારગ લોપે, ભાષ્ય અંગ આચારે રે. લોકો! ૧૫ ૧. ટબાવે, પઢાઈ, વાવે. ૨. જુઓ ઉપદેશમાલા ગાથા ૧૯૪ અને ત્યાર પછીની ગાથાઓ. ૩. એકનું. ૪. ઉચ્ચરીઈ મુંકો; ઉચ્ચારી છે મુંડો. ૫ ઉદ્દમ ગારવ સેવે. ૬. તે તો મર્મ ન જાણે. ૭. અધિકાઈ બાહિર દેખાડી. ૪૩૮ ! : ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી) 5. . For Private & Personal Use Only Jain Education International 2010_02 www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy