SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્ય કહે તો પાતક પોષે, પાપ કહે જન-વૃત્તિ વિશેષ; કંઈ ભાખે `નિરદોષ આહાર, સૂઝે અશ્વને ઈહાં અધિકાર. ૨૫ મુક્તિ કાજે સવિ કિરિયા કરતો, પૂરણ મારગ ભાખે નિરતો; ભવજલ વહતા જનને જેહ, દીપ સમાન કરે દુઃખ છેહ.' ૨૬ એહ ધરમ ન લહે અજ્ઞાની, વલિય અપંડિત પંડિત માની; બીજ ઉદક ઉદ્દેશિકનું જી, ધ્યાન ધરે અસમાધિ પ્રમુંજી ૨૭ માછાંભક્ષણ ધ્યાયે પંખી, ઢંકાદિક જિમ આમિષ કંખી; વિષય-પ્રાપ્તિ ધ્યાયે તિમ પાપી, બહુલારંભ પરિગ્રહ થાપી. ૨૮ વિષય તણાં સુખ વંછે પ્રાણી, પરિગ્રહવંત ન તે સુહઝાણી; તે હિંસાના દોષ ન દાખે, નિજમતિ કલ્પિત કારણ ભાખે. ૨૯ અંધ ચલાવે કાણી નાવા, તેહ સમર્થ ન તીરે જાવા; મિથ્યાદ્દષ્ટિ ભવજલ પડિયા, પાર ન પામે તિમ દુઃખ નડિયા. ૩૦ જેહ અતીત અનાગત નાણી, વર્તમાન તસ એક કહાણી; દયા મૂલ સમતામય સાર, ધર્મ તેહનો પરમાધાર. ૩૧ ધર્મ લહી ઉપસર્ગ–નિપાતે, મુનિ ન ચલે જિમ ગિરિ ઘનવાત; ઇગ્યારમું અધ્યયન સંભારો, બીજે અંગે ઈમ મન ધારો. ૩૨ ઢાલ ચોથી [ઇણિપુર કંબલ કોઈ ન લેસી – એ દેશી] તે મુનિને ભામણડે જઈયે, જે વ્રત કિરિયા પાલે રે, સૂકું ભાષી જે વલી જગમાં, જિન-મારગ અજુઆલે રે. તે મુનિને ભામણડે જઈયે, એ આંકણી. ૩૩ સુગુરુની સજ્ઝાય Jain Education International 2010_02 For Private & Personal Use Only * ૪૨૯ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy