SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યેક ગ્રંથોમાં અપૂર્વ કવિત્વશક્તિ, વચન-ચાતુરી, પદ-લાલિત્ય, અર્થ-ગૌરવ, રસ-પોષણ, અલંકાર-નિરૂપણ, પર-પક્ષ-ખંડન, સ્વ-પક્ષમંડન સ્થળે સ્થળે દૃષ્ટિગોચર થાય છે. એમની તર્કશક્તિ તથા સમાધાન કરવાની શક્તિ અપૂર્વ છે. ' પૂર્વાચાર્ય પ્રણીત અનેક ગ્રંથોમાં સૂત્ર-ટીકા વગેરેમાં જુદી પડતી અનેક બાબતોમાં સમાધાન તેઓશ્રીએ બહુ યુક્તિપુરઃસર કર્યા છે. પોતાના ગ્રંથોમાં તેઓશ્રીએ વ્યવહાર અને નિશ્ચયનું સ્વરૂપ તથા શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા તથા પૂજાનું મંડન એવી ઉત્તમ રીતે કર્યું છે કે તેને મધ્યસ્થ અને જિજ્ઞાસુવૃત્તિએ વાંચનાર અને સમજનાર આત્મા તુરત જ સન્માર્ગમાં સુસ્થિર બની જાય છે. સૂત્ર, નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને ટીકા સ્વરૂપ પંચાંગીયુક્ત શ્રી જિનવચનના એક પણ અક્ષરને ઉત્થાપનાર પ્રત્યેક કુમતવાદિની તેઓએ સખ્ત રીતે ખબર લીધી છે. ટૂંઢકોના ખંડન માટે તથા યતિઓમાં પ્રવેશેલી શિથિલતા દૂર કરવા માટે તેઓએ પોતાના ગ્રંથોમાં ભારે પ્રયત્ન સેવ્યો છે. કુમતોનું સખ્ત શબ્દોમાં ખંડન કરવાથી તેમના અનેક દુશ્મનો પણ ઊભા થયા હતા, પણ તેની એક લેશ માત્ર પરવા તેઓશ્રીએ કરી નથી. દરેક સ્થળેથી માનપાન મેળવવામાં જ પોતાની વિદ્વત્તાનો ઉપયોગ નહિ કરતાં, શિથિલાચારી યતિસમુદાય અને ટૂંઢકો સામે નિીડરપણે ઊભા રહી, તેઓશ્રીએ શ્રી જૈનશાસનની ભારેમાં ભારે સેવા બજાવી છે. અદ્વિતીય શાસનસેવા અને અનુપમ વિદ્વત્તાના પ્રતાપે લઘુ હરિભદ્ર, બીજા હેમચંદ્ર તથા કલિકાલમાં પણ શ્રુતકેવલિઓનું સ્મરણ કરાવનાર તરીકેની અનેકવિધ ઉત્તમ ઉપમાઓ તે પુષ્યપુરુષ પામી ગયા છે. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy