SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાવને જેમણે વિસ્તાર્યો છે અને જેઓએ તર્ક, પ્રમાણ અને નયાદિકના વિવેચન વડે પ્રાચીન મુનિઓનું શ્રુતકેવલિપણું આ કાળમાં પ્રગટ બતાવી આપ્યું છે, તે શ્રી યશોવિજયોપાધ્યાય વાચક સમૂહમાં મુખ્ય છે.' આ ધર્મસંગ્રહ ગ્રંથ તૈયાર થયા પછી શ્રી માનવિજયજી મહારાજાએ શ્રી “ઉપાધ્યાયજી મહારાજની પાસે તેને શોધાવેલ છે. ઉપાધ્યાયજીએ રચેલા ગ્રંથો પૈકી હાલ થોડા જ ઉપલબ્ધ થાય છે. પોતે રચેલા જૈનતર્કભાષા ગ્રંથની પ્રશસ્તિમાં તથા પ્રતિમા શતકની પ્રસ્તાવનામાં (૧૦૦) એકસો ન્યાયના ગ્રંથ રચ્યાનું સ્પષ્ટ પ્રતિપાદન છે. એ ઉપરાંત ‘રહસ્ય' શબ્દાંકિત ૧૦૮ ગ્રંથો રચવાની હકીકત પોતે “ભાષા રહસ્ય” ગ્રંથના પ્રારંભમાં જણાવી છે. બીજા પણ અનેક સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો તેઓશ્રીએ રચેલા છે, એ વાત અત્યારે ઉપલબ્ધ થતા રહસ્ય શબ્દ અને ન્યાય સિવાયના વિષયના અન્ય ગ્રંથોથી તથા તેમણે સાક્ષી તરીકે ભલામણ કરેલા ગ્રંથોથી પુરવાર થાય છે. આ રીતે એ અદ્વિતીય ગ્રંથોની રચનાઓ કરી આ મહાપુરુષે શ્રી જૈનશાસનની ભારે પ્રભાવના કરી છે. ઉપાધ્યાયજી વ્યાકરણ, કાવ્ય, કોશ, અલંકાર, છંદ, તર્ક, સિદ્ધાન્ત, આગમ, નય, નિક્ષેપ, પ્રમાણ, સપ્તભંગી આદિ સર્વ વિષય સંબંધી ઊંચા પ્રકારનું અતિશય સૂક્ષ્મ જ્ઞાન ધરાવતા હતા. એમના મંત્ર “પૂર્વ ચાવિશારત્વવિદ્દે વાગ્યાં પ્રવાં યુદ્ધ न्यायाचार्यपदं ततः कृतशतग्रन्थस्य यस्यार्पितम् । शिष्यप्रार्थनया नयादिविजयप्राज्ञोत्तमानां शिशुः तत्त्वं किंचिदिदं यशोविजय इत्याख्याभृदाख्यातवान ॥१॥ - રૂતિ ગતિમાપાયાનું ! x “तता भाषाविशुद्धयर्थं रहस्यपदाङ्किततया चिर्कार्पिताष्टोत्तरशतग्रन्थान्तर्गतप्रभारहस्य-स्याद्वादरहस्यादि सजातीयं प्रकरणमिदमारभ्यते ॥" • તિ સ્વોપામાપાયેટીવાય | I ૨૨ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy