SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ હોઈ સાગર જેવું છે અ થી શ્રી ઉપાધ્યાયજીની વચનરચના સરલ, રસિક અને સુંદર હોવા છતાં પણ, અતિ ગંભીર હોવાથી કોઈ ધીર આત્મા જ તેના પારને પામી શકે છે. એ મહાપુરુષની શાસ્ત્રરચના સમુદ્ર સમાન ગંભીર, ચંદ્રિકા જેવી શીતલ તથા ગંગાના તરંગ જેવી ઉજ્વળ, નિર્મળ અને પવિત્ર હોવાથી ભવ્ય આત્માઓને પરમ આનંદ આપનારી છે. અનુપમ ગ્રંથરચનાઓ વડે સુવિહિત શિરોમણિ ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજીના લઘુબાંધવની ઉપમાને પામેલા શ્રી યશોવિજયજી વાચક કલિકાલમાં શ્રુતકેવલિઓનું સ્મરણ કરાવનાર થયા. સંવત ૧૭૪૪માં પાઠકશિરોમણિ શ્રી યશોવિજયજી ડભોઈ નગરીમાં ચાતુર્માસ રહ્યા. ત્યાં અનશનપૂર્વક આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગે સિધાવ્યા. તેમના પવિત્ર દેહના અગ્નિદાહના સ્થળે સમાધિસૂપ કરવામાં આવ્યો. એ તેજોમય સ્તૂપમાંથી તેમના સ્વર્ગવાસના દિવસે વાયની ધ્વનિ પ્રગટે છે એવો પ્રઘોષ છે. સંવત્ ૧૬૮૮માં દીક્ષા, ૧૭૧૮માં વાચક પદવી અને ૧૭૪૪માં સ્વર્ગગમન હોવાથી, આ મહાપુરુષનો સત્તાસમય લગભગ સંવત્ ૧૬ ૮૦થી ૧૭૪૩ સુધીનો નક્કી થાય છે. શ્રી મહાવીર પ્રભુની પટ્ટપરંપરાએ ચાલતા આવેલા તપાગચ્છમાં ભારતવર્ષના પ્રખ્યાત બાદશાહ અકબરને પ્રતિબોધ કરનાર સુવિખ્યાત જગદ્ગુરુ આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજયહીરસૂરિવર થયા. તેમના શિષ્ય ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી ગણિ, તેમના મુખ્ય શિષ્ય શ્રી લાભવિજયજી ગણિ, તેમના મુખ્ય શિષ્ય શ્રી જિતવિજયજી ગણિ, તેમના ગુરુભ્રાતા શ્રી નવિજયજી ગણિ અને તેમના શિષ્ય શ્રી યશોવિજય ગણિ થયા. આ વાત એમના જ શબ્દોમાં ઐન્દ્રસ્તુતિ સ્વોપજ્ઞ વિવરણ તથા ૩૫૦ ગાથાના સ્તવનના પ્રાન્ત ભાગાદિ સ્થળોએ ઉપલબ્ધ થાય છે. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy