SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ નાગપુરી (નાગોરી) સગ્રહમાં પધાર્યા. તેમની પ્રશંસા ગૂર્જરપતિ (સૂબા) મહોબતખાન પાસે રાજસભામાં થઈ. સૂબાને તેમની વિદ્યા જોવાની હોંશ થતાં, તેના નિમંત્રણથી શ્રી યશોવિજયજી મહારાજે અઢાર અવધાન કરી બતાવ્યાં. ખાને ખુશ થઈ તેઓશ્રીની બુદ્ધિનાં વખાણ કર્યાં અને મોટા આડંબરથી વાજતે ગાજતે તેઓશ્રીને તેઓશ્રીના સ્થાનકે લઈ જવામાં આવ્યા. ત્યાર બાદ પંડિત શ્રી યશોવિજ્યજીએ અનેક ગ્રંથરત્નોની રચનાઓ આદિ દ્વારા, શ્રી જૈનશાસનની ભારે ઉન્નતિ કરી અને તે સમયમાં તપાગચ્છમાં આ મુનિ અક્ષોભ્ય પંડિત છે, એમ સર્વ ગચ્છના મુનિવરોએ સ્વીકાર્યું. અમદાવાદના સંઘે ગચ્છનાયક આચાર્ય દેવ શ્રીમદ્ વિજયદેવસૂરિજી મહારાજાને આ અજોડ પંડિત અને અનુપમ શ્રુતધર શ્રી યશોવિજયજીને પંચ પરમેષ્ટિના ચોથા શ્રી ઉપાધ્યાયપદે સ્થાપવાની આગ્રહપૂર્વક વિનંતી કરી. વિદ્વચ્છિરોમણિ શ્રી યશોવિજયજીએ વીશસ્થાનક ઓળીનો તપ આદર્યો. ૫૨મ સંવેગી એવા તેમણે ગુરુનિશ્રામાં પોતાના સંયમને પ્રતિદિન ઉજ્જ્વળ બનાવ્યું. તે વખતે શ્રી જયસોમ આદિ પંડિત મુનિવરોની મંડળીએ તેમનાં પાવનકારી ચરણોની સેવા કરી. વિધિપૂર્વક તપની આરાધના પૂર્ણ થયે ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજયદેવસૂરિવરના પટ્ટર શ્રીમદ્ વિજ્યપ્રભસૂરિજીએ સંવત્ ૧૭૧૮માં તેમને વાચક (ઉપાધ્યાય) પદ સમર્પણ કર્યું. ત્યારથી શ્રી જશવિજય વાચક ‘સુરગુરુના અવતાર' તરીકે પ્રસિદ્ધ થયા. ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજીની સઘળીયે ગ્રંથ૨ચનાઓ એ શ્રી જિનેશ્વરદેવોના આગમો અને આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર, ભગવાન્ શ્રી હરિભદ્રસૂરિ આદિ સમર્થ શ્રુતધરોના અતિશય કઠિન ગ્રંથરત્નોમાંથી ઉદ્ધરિત થયેલી છે. શ્રી જિનેશ્વરદેવોનું આગમ અને તેને અનુસરતું શાસ્ત્ર નય, નિક્ષેપ, ભંગ, પ્રમાણ આદિથી ભરપૂર Jain Education International 2010_02 १९ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy