SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશ્રમ ઉઠાવ્યો હતો. પ્રૂફો પણ તેઓએ શોધ્યાં હતાં અને ગ્રન્થકારનો પરિચય પણ તેઓએ લખેલો છે. વકીલ મોહનલાલ દલીચંદ દેશાઈ: પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજાની કેટલીક અપ્રકટ કૃતિઓ તેઓ પાસેથી મળી છે. તેઓને મોકલવામાં આવેલી પ્રેસકોપીઓ તેમણે શોધી છે અને તેમાં હસ્તલિખિત પ્રતિઓ ઉપ૨થી પૂર્વે પોતે સંગ્રહ કરેલા તથા નવા પાઠાંતરો આદિ ઉમેર્યા છે. પ્રૂફોનું સંશોધન પણ તેમણે પરિશ્રમપૂર્વક કર્યું છે. શ્રી જવિલાસમાં દરેક વિષયોને જુદા પાડી, દરેક પદની ઉપર વિષયને લગતું મથાળું કરી તેઓએ તેને ક્રમબદ્ધ કરેલ છે. અન્ય કૃતિઓના જુદા જુદા વિષયોને લગતાં મથાળાં પણ તેમણે કર્યાં છે. ૭૯મા પાના ઉ૫૨ની તથા અન્ય સ્થળોએ નોંધ તેમણે કરેલી છે. શુદ્ધિવૃદ્ધિ પત્રક, અનુક્રમણિકા તથા આધારભૂત પ્રતોની નોંધ પણ તેઓએ તૈયાર કરેલી છે. પ્રાન્ત-સાધનસામગ્રીની પરિમિતતા તથા સંશોધનકાર કે મુદ્રકાદિના દૃષ્ટિદોષાદિ કારણોએ પ્રસ્તુત ગ્રંથમાં પૂજ્યપાદ શ્રી ગ્રન્થકાર મહર્ષિના આશયવિરુદ્ધ અગર શ્રી જિનમતથી વિપરીત૫ણે જે કાંઈ લખાયું અગર છપાયું હોય તે બદલ અંતઃકરણપૂર્વક મિથ્યાદુષ્કૃત યાચી ગ્રંથઅધ્યયનમાં દત્તચિત્તે પ્રવૃત્ત થવા વિનવીએ છીએ. Jain Education International 2010_02 १४ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy