SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર-પરિચય - પૂજ્ય પં. શ્રી શ્રી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ આ પુસ્તકરત્નમાં જે મહાપુરુષની કૃતિઓ પ્રગટ કરવામાં આવે છે તે મહાપુરુષ ષડ્રદર્શન-શાસ્ત્રવેત્તા, ન્યાયવિશારદ, ન્યાયાચાર્યાદિ-બિરુદ-ધારક, મહાવૈયાકરણ, તાર્કિક-શિરોમણિ, બુદ્ધયંભોનિધિ, વાચક કુલચંદ્ર મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવર છે. આ મહાપુરુષ જૈન આલમમાં શ્રી “ઉપાધ્યાયજીની સંજ્ઞાથી અતિ સુપ્રસિદ્ધ છે. પોતાના જીવનકાળમાં સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી અને હિંદી ભાષામાં લાખ્ખો* શ્લોકપ્રમાણ ગ્રંથોની રચના કરી, અનેક આત્માઓને પ્રતિબોધ પમાડી, અનેક પરવાદીઓને જીતી, આ મહાપુરુષે શ્રી જૈન શાસનનો વિજયધ્વજ ફરકાવ્યો છે. શ્રી જૈનશાસનના પરમપ્રભાવક મહાપુરુષોમાં છેલ્લામાં છેલ્લા પ્રભાવક આ એક જ મહાપુરુષ એવા થયા છે કે જેમણે પોતાના * માત્ર ન્યાયના વિષય પર પોતે બે લાખ શ્લોક લખ્યાનો ઉલ્લેખ પોતે લખેલા સુશ્રાવક શા. હંસરાજ ઉપરના પત્રમાંથી મળી આવે છે, તે આ પ્રમાણે છે. ન્યાય ગ્રંથ બે લક્ષ કીધો છે. તો બૌદ્ધાદિ કરી એકાંતયુક્તિ ખંડી સ્યાદ્વાદ પદ્ધતિ માંડી નઈ એ યુક્તિ જૈન ન્યાયાચાર્ય બિરુદ પરિશન શિષ્ટ લોક કહે તે પ્રમાણે છઈ તે પ્રીછજ્યો.” Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy