________________
(૧૧) શ્રી વજધર જિન સ્તવન
માહરા સગુણ સનેહા પ્રભુજી અથવા સાલુ હો કે લાયો
જોધપુરી ઘણી બિદલીની – એ દેશી શંખ લંછન વજધર સ્વામી, માતા સરસ્વતી સુત શિવગામી હો;
ભાવે ભવિ વંદો. નરનાથ પદ્મરથ જાયો, વિજયાવતી ચિત્ત સુાયો હતો. ભા. ૧ ખંડ ધાતકી પશ્ચિમ ભાગે, પ્રભુ ધર્મધુરંધર જાગે હો; ભા. વચ્છવિજયમાં નયરી સુસીમા, તિહાં થાપ ધર્મની સીમા હો, ભા. ૨ પ્રભુ મનમાં અમે વસવું જેહ, સુપને પણ દુર્લભ તેહ હા, ભા.. પણ અમ મન પ્રભુ જો વસશે, તો ધર્મની વેલ ઉલ્લશે હો. ભા૩ સ્વપને પ્રભુ મુખ નિરખતા, અમે પામું સુખ હરખંતા હે; ભા. જે સુપન રહિત કહિયા દેવા, તેથી અમે અધિક કહેવા હો. ભા. ૪ મણિ માણિક કનકની કોડિ, રાશિમ ઋદ્ધિ રમણી જાંડિ હો; ભા. પ્રભુ દરશનના સુખ આગ, કહો અધિકેરૂં કુણ માગે હો. ભા૫ પ્રભુ દૂર થકી પણ ભેટ્યા, તેણે વેગે દુઃખ સવિ મટયા હ; ભા. ગુરુ શ્રીનયવિજય સુશીશ, પ્રભુ ધ્યાને રમે નિશદીશ હો ભા. ૬
વિહરમાન જિન-નીશી
૨૬
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org