SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનદાસે તેઓને પૂછ્યું. દીક્ષાગ્રણ કર્યા બાદ આપના જેટલા બધા ગ્રન્થો વાંચી શકાય તેવું લાગતું નથી તો બધાં શાસ્ત્રોનો સાર આવી જાય તેવા ગ્રન્થો અને તે પણ ગુજરાતીમાં હોય તો તે બતાવવાની કૃપા કરો. તે વખતે સાગરજી મહારાજે કહ્યું : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની ગુજરાતી રચનાઓનો અભ્યાસ કરશો તો સકલશાસ્ત્રનો નીચોડ તમને મળી રહેશે. આ વાત બીજરૂપે મનમાં રોપાઈ ગઈ. શ્રદ્ધાથી સ્વીકારાઈ ગઈ. પછીના વર્ષે કાર્તિક મહિને દીક્ષા થઈ. નાભિનો વૈરાગ્ય હતો. પ્રભુશાસનનો પક્ષપાત હતો. બુદ્ધિ નિર્મળ હતી તેથી આવશ્યક સૂત્રો થતાં વાર ન લાગી. તે પછી તુર્ત ઉપાધ્યાયજી મહારાજની અમૃત વેલીની મોટી સઝાયથી મંગળાચરણ થયું ! પ્રારંભમાં જ જીવનકર્તવ્યની કેડી મળી ગઈ ! ઉપાધ્યાયજી મહારાજની ગુજરાતી રચનાઓનો સંચય કરવા લાગ્યા. ભણવા લાગ્યા. પછી તાત્પર્યને પામવા મથામણ કરવા લાગ્યા. મને મળ્યું, મને ગમ્યું અને મને ફળ્યું તેવું બધાંને મળો, બધાંને ગમો અને બધાંને ફળો તેવા શુભ આશયથી આ ગૂર્જર સાહિત્યસંગ્રહ ભાગ-૧ અને ૨નું મુદ્રણ થયું. જોકે આ બધી પ્રક્રિયા થતાં પૂરાં પાંચ વર્ષ વીત્યાં છે. વિ. સં. ૧૯૯૨માં આ પ્રથમ ભાગ સંઘ સમક્ષ આવ્યો ! તેમને શુદ્ધ પ્રકાશન કરવું હતું. પૂર્ણ પ્રકાશન કરવું હતું તેથી સદ્દભાગ્યે મુંબઈમાં જ શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ મળ્યા. તેમણે પણ અનેક હસ્તલિખિત પ્રતો સંપડાવી આપી. પાઠની શક્ય રીતે અશુદ્ધિ દૂર કરી. કઈ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy