________________
(૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન
[સાહેલાં હૈ – એ દેશી]
સાહેલાં હૈ કુંથુજિણેસર દેવ, રતન દીપક અતિ દીપતો હો લાલ; સા૰ મુજ મનમંદિરમાંહે, આવે જો અરિબલ જીપતો હો લાલ. ૧ સા૰ મિટે તો મોહ અંધાર, અનુભવ તેજે જળહળે હો લાલ; સા ધૂમકષાય ન રેખ, ચરણચિત્રામણ નવ ચળે હો લાલ. ૨ સા૰ પાત્ર કર્યો નહિ હેઠ, સૂરજ તેજે નવિ છિપે હો લાલ; સા સર્વ તેજનું તેજ, પહેલાંથી વાધે પછે હો લાલ. ૩ સા૰ જેહ ન મરૂતને ગમ્ય, ચંચલતા જે નવ લહે હો લાલ; સા. જેહ સદા છે રમ્ય, પુષ્ટ ગુણે નવ કૃા રહે હો લાલ. ૪
સા૰ પુદ્ગલ તેલ ન ખેપ, જેહ ન શુદ્ધદશા દહે હો લાલ; સા૰ શ્રીનયવિજય સુશીશ, વાચક જશ એણિ પર કહે હો લાલ. પ
(૧૮) શ્રી અરનાથ જિન સ્તવન
[આસણા યોગી એ દેશી)
-
શ્રી અરજિન ભવજલનો તારૂ, મુજ મન લાગે વારૂ રે; મનમોહન સ્વામી. બાંહ્ય ગ્રહિ જે ભવિજન તારે, આણે શિવપુર આરે રે. મ૦ ૧
તપ જપ મોહ મહા તોફાને, નાવ ન ચાલે માને રે; મધ પણ નિવ ભય મુજ હાથોહાથે, તારે તે છે સાથે રે. મ૰ ર ભગતને સ્વર્ગ સ્વર્ગથી અધિકું, જ્ઞાનીને ફળ દેઈ રે; મ કાયાકષ્ટ વિના ફળ લહીએ, મનમાં ધ્યાન ધરેઈ રે. મ૦ ૩
ચોવીશી પહેલી.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
૬૯
www.jainelibrary.org