SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ - ૧ १८७ તે માન્ય છે. સર્વ સાધનોને આત્મ૫૨ક જાણવા જોઈએ. આત્માને જાણવા માટેના તે સાધનો છે. અહીં વ્યવહારથી નહીં પણ નિશ્ચયથી આત્માને બ્રહ્મરૂપે જાણવાની વાત છે, તે તેમને સ્વીકાર્ય છે. પણ (૨) નિરંજન બ્રહ્મને કર્મનું ફળ અર્પણ કરવાની વાતનો તેઓ સ્વીકાર નથી કરતા. જે નિરંજન બ્રહ્મ છે તેને મન-વચન-કાયા નથી અને તેને કોઈ કર્મ ક૨વાનું નથી. એટલે આ મતને તેઓ મિથ્યાત્વવાસનાથી વિલસિત માને છે. તે જ રીતે ‘ગીતા'માં જે કહ્યું છે કે (૩) ‘કૃતને એકાંતે અમૃતત્વબુદ્ધિ હોય છે' તેના બદલે પોતે એમ માને છે કે કૃતને ક્યારેક અકૃતત્વબુદ્ધિ હોય છે, ક્યારેક નથી પણ હોતી. ‘ગીતા’માં જે વાત એકાંતે કરી છે તે પોતે અનેકાંતથી માને છે. એટલે ‘ગીતા'ના મતને તેઓ મિથ્યાત્વવાસનાવિલસિત ગણાવે છે, કારણ કે ત્યાં એકાંતે વાતની રજૂઆત થઈ છે. તેઓ અનેકાંતે કોઈપણ બાબતને સમજવાનો પ્રયત્ન કરે છે અને તે તેમની ખાસ વિશેષતા છે. આ કાળમાં તો આટલી ઝીણવટથી વાતને રજૂ કરનારા કોઈ નથી. નિર્માંતર્દષ્ટિ એ તેમની આગવી વિશેષતા છે. નિશ્ચયને જાળવીને વ્યવહાર કરવો તે અઘરું છે, પણ જરૂરી તો છે જ. સંકલ્પ વગ૨ ક્રિયા કરો તો તે ફળે નહીં એમ તેઓએ જણાવ્યું. અહીં માત્ર સંકલ્પ નહીં પણ શુભ સંકલ્પ જરૂરી છે. સંકલ્પ અશુદ્ધ હોય, તુચ્છ હોય, અલ્પફળદાયી હોય, તો તે ઝાઝો ફાયદો ન કરે. આત્મપરતાó = આત્મપરક = આત્મા માટેના સાધન તરીકે. મારવાડમાં હજી બોલચાલમાં ‘પરતાઇં' શબ્દ કે તેની છાયા વપરાય છે. श्लोक ३० / ४ ( आपत्तिश्च માર્ મવેત્ ।) આપત્તિ = આફદ, આપદા, મુશ્કેલી, આવી પડવું વગેરે અર્થો છે. આપત્તિ ‘પ્રાપ્તિ’ અર્થ પણ છે. (આવી પડવું એ અર્થમાં) અહીં આ અર્થ અભિપ્રેત છે. = સંપત્તિ સારી રીતે આવી પડવું. વિવિધ ગ્રંથોમાં ‘પ્રાપ્તિ'ના અર્થમાં આપત્તિ શબ્દ વપરાયેલ છે. ોજ ૩૦/૬ (ખિતંદ્રિયમ્ય... યોનિઃ ।) Jain Education International = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy