SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ જો ૨૬/રૂ (નવેષુ સ્વાર્થસÒપુ... મહામુનિ:) સર્વનય સપ્રતિપક્ષ છે' નો અર્થ એ છે કે “દરેક નય સાપેક્ષ છે. કોઈપણ નય તેની અમુક અપેક્ષાએ જ હોય છે.” જે એકનયપક્ષપાતી છે તે અદૃષ્ટસિદ્ધાંત કહિઇં' નો અર્થ એ થાય કે જે વ્યક્તિ એકનયપક્ષપાતી છે તેણે શાસ્ત્રોને ઓળખ્યા નથી. અદૃષ્ટસિદ્ધાંત એટલે જેણે શાસ્ત્રોને જોયા-જાણ્યા નથી તે. પોતાનો મત એવા આગ્રહપૂર્વક રજૂ કરે છે કે ‘બીજા નયથી તે મત જુદો પણ હોઈ શકે' તે વાત તેવી વ્યક્તિ સહેલાઈથી સ્વીકારી શકતી નથી. પોતે જે વાત કરી તે બીજા નયથી જુદી પણ હોઈ શકે તે સ્વીકારવું અઘરું છે. ઇતિ।) श्लोक (१६/४) (स्वस्वकर्मकृतावेशाः **** ज्ञानसार આવેશ = ‘આગ્રહ' અર્થ કર્યો છે. ‘પોતે માનવું' એ અર્થમાં આગ્રહ છે. અત્યારે આપણે આવેશમાં આવવું, ઝનૂન દાખવવું એવા કંઈક અર્થમાં ‘આવેશ’ શબ્દ વાપરીએ છીએ. श्लोक १६ / ५ ( मढनः स्याद् ભાવને ) વ્યવ્ર = આસક્ત એવો અર્થ કર્યો છે. ‘વ્યગ્ર’ એટલે ‘રોકાયેલું' અને ‘આસક્ત’ એટલે પણ રોકાયેલું એવો અર્થ કરી શકાય. Jain Education International શ્લોકના અંતે તારવણી આપી કે ૫૨ વિષે મન રોકાયેલું રહે તે ચિંતા કરવા જેવી બાબત છે, આત્માના વિષયમાં મન રહે તે સમાધિસ્વરૂપ ગણાય તેવી બાબત છે. પારકી પંચાત કર્યા વગર આત્મધ્યાનમાં મગ્ન રહેવું સાધકને શોભે. જોજ ૬/૬ (વિમન્ના ગત્તિ પંથાન... અક્ષયા) બ્રહ્મ = ‘સર્વ પ્રપંચબોધવિશિષ્ટ કેવલજ્ઞાન' અર્થ કર્યો. અહીં ‘પ્રપંચ’ વિસ્તાર (દા.ત. ‘પંચાનન' માં ‘પંચ' શબ્દ છે તેનો અર્થ ‘વિસ્તૃત’ એવો થાય છે. ‘આનન’ એટલે મોઢું. ‘ખૂબ વિસ્તૃત છે મોઢું જેનું તે' એટલે કે ‘સિંહ' એવો ‘પંચાનન' નો અર્થ થાય છે.) વોધ = જ્ઞાન. અહીંયા “સર્વ જે વિસ્તૃત (ફેલાયેલું ) જ્ઞાન છે તે સર્વથી વિશિષ્ટ એવું જ્ઞાન તે કેવલજ્ઞાન” એવો અર્થ થાય. અપુનર્બંધક પહેલું ગુણઠાણું, સામાન્યમાં સામાન્ય. For Private & Personal Use Only = www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy