SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ટૂંકમાં છતાં સચોટ રીતે રજૂ કરીને, ગૃહસ્થ દ્રવ્યપૂજા અને સાધુએ ભાવપૂજા કરવી જોઈએ તેમ જણાવ્યું છે. પોતે ભાવપૂજામાં તન્મય થઈ ગયા પછી જે વાણી સ્લરી તે શબ્દબદ્ધ કરીને આ અષ્ટકો રચ્યાં હોય તેવી આપણને પ્રતીતિ થાય તેનું આ અષ્ટક સુંદર દૃષ્ટાંત છે. - સાધકજીવનની સર્વોચ્ચ અવસ્થા થાનાવસ્થાની વાત ધ્યાન-અષ્ટક” માં કરવામાં આવી છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતા તે “સમાપત્તિ’ કે ‘સમાધિ' કહેવાય છે. જિતેન્દ્રિય, ધીર, પ્રશાંત, સ્થિર સાધક નાસિકાગ્ર ઉપર દૃષ્ટિ રાખીને, પ્રસન્નચિત્તે ધારણા અને ધારાના વેગથી બાહ્ય મનોવૃત્તિને રોકીને જ્ઞાનામૃતનો આસ્વાદ લે છે તે વાત કરીને ઉપાધ્યાયજીએ સાધકનું સુંદર શબ્દચિત્ર ખડું કર્યું છે. ‘કર્મને તપાવે તે તપ” (૩૧/૧) એવી તપની વ્યાખ્યા કરીને તેનાં બાહ્ય તપ અને આત્યંતર તપ એવા બે પ્રકારો “તપ-અષ્ટકમાં રજૂ કરવામાં આવ્યા છે. આ બંને તપમાં પણ આત્યંતર તપ મુખ્ય છે. સાધકની નજર સામે તો મોક્ષપ્રાપ્તિના સાધ્યની મીઠાશ જ હોય છે, તેથી જ્ઞાનીને તપથી આનંદ જ પ્રાપ્ત થાય છે. તપ કેટલું કરવું તેનો સચોટ જવાબ આપતાં અહીં કહેવાયું છે : “ખરેખર એ જ તપ કરવા યોગ્ય છે કે જેમાં દુર્થાન ન થાય, યોગો હીનતા ન પામે અને ઇન્દ્રિયોનો ક્ષય ન થાય.” (૩૧/૭) આ અષ્ટકોના ક્રમમાં છેલ્લા, પણ સાધનામાર્ગના પ્રારંભિક સોપાન સમા “સર્વનરાશ્રય (સર્વનરાશ્રયણ)-અષ્ટક માં સાધક વ્યક્તિએ કોઈપણ પૂર્વગ્રહથી અમુક નિશ્ચિત મતના બદલે રાગ-દ્વેષ વગર દરેક મતમાં રહેલા સત્યનો સ્વીકાર કરવાનું જણાવવામાં આવ્યું છે. ખરેખર તો જે સાધક છે તે કોઈના પણ મત માટે હઠાગ્રહ કે દુર્ભાવના રાખ્યા વગર બધાના મતનો સત્યાંશ સરળતાથી સ્વીકારે છે. કોઈપણ વ્યક્તિનું મન ખુલ્લું હોય અને ચિત્ત શાંત હોય તે બાબત સાધનામાર્ગે આગળ વધવા માટે તે વ્યક્તિને ખૂબ જ ઉપયોગી નીવડે છે. જૈન દર્શનના નયવાદ પ્રમાણે દરેક નય પોતપોતાની રીતે સાચો છે એ સ્વીકારીને જ્ઞાની કોઈ નય પ્રત્યે રાગ કે કોઈ નય પ્રત્યે દ્વેષ રાખતો નથી, પણ બધા નો પ્રત્યે મધ્યસ્થભાવ જ રાખે છે. સર્વનયના જ્ઞાતામાં રાગ, દ્વેષ કે અહંકાર હોતા નથી, પણ ઉપકારબુદ્ધિ કે સમવૃત્તિપણું હોય છે. આવી વ્યક્તિ શુષ્ક વાદ-વિવાદમાં સમય બગાડવાના બદલે ધર્મવાદ કરે છે, અને તેની આ તાત્ત્વિક જિજ્ઞાસા તેને કલ્યાણમાર્ગે દોરનારી હોય છે. તેથી જ ઉપાધ્યાયજી જણાવે છે : “સર્વ નયના જ્ઞાતાનું ધર્મવાદથી ખૂબ કલ્યાણ થાય છે.” (૩૨/૫) નિશ્ચયનય અને વ્યવહારનય (અથવા તો જ્ઞાનનય અને ક્રિયાનય) આ બેમાંથી કોઈ એકને સ્વીકારવાને બદલે બંને નયો પોતપોતાના સ્થાને સાચા છે એમ સ્વીકારનાર જ્ઞાની સાધકનો સર્વોત્કર્ષ થાય જ છે. નિશ્ચય અને વ્યવહાર, વાસ્તવિકતા અને આદર્શ, દ્રવ્ય અને ભાવ, જ્ઞાન અને ક્રિયા જેવા સામસામા છેડાના ભાવોનો સમન્વય “જ્ઞાનસાર'માં જોવા મળે છે. આવા સમન્વય દ્વારા એક સંવાદી જીવનમાર્ગનું આલેખન અહીંયાં પ્રતીત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy