SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ - ૧ १६७ નયની દૃષ્ટિથી સર્વ આત્માને અભિન્નપણે જુએ છે અને ત્યાં કર્મકૃત વર્ણાશ્રમના ભેદને ધ્યાનમાં રાખતા નથી. ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા'માં પણ આ વાત જણાવી છે કે પંડિતો બ્રાહ્મણ, ગાય, હાથી વગેરેમાં સમદર્શી હોય છે. આ વાત જણાવી ટબામાં જણાવે છે કે અહીં “એટલો વિશેષ છે કે ત્યાં ‘ભગવદ્ગીતા’માં એકાંતે અભેદ કહે છે, અહીં નયના ભેદે અભેદ કહે છે.” મતલબ કે ‘ગીતા'માં આત્માના અભેદની વાત છે, જ્યારે અહીં કર્મકૃત રીતે ભેદ અને શુદ્ધ દ્રવ્યાસ્તિકનયની રીતે અભેદની વાત છે. આમ જૈનદર્શન નયવાદથી વિચારીને જે અનેકાંતદૃષ્ટિએ પોતાની વાત રજૂ કરે છે એ તેની વિશેષતા છે. તે પછી ટબાના શબ્દો છે ‘નયવાસના તેઃ ન માર્ગાનુસરિખી છે' તેનો અર્થ પકડવા માટે તે શબ્દોના અર્થ અને ભાવને સમજવા પડે. ‘વાસના'નો સામાન્ય અર્થ ‘કામના’ છે. અહીં ‘વાસના’ શબ્દનો અર્થ ‘વિચારણા’ કે ‘ભાવના' એવો છે. ‘માર્ગાનુસારિણી’નો અર્થ ભગવંતની મોક્ષમાર્ગની પ્રરૂપણાને અનુસરતો જે માર્ગ છે તેને અનુસરનારી વિચારણા છે. આમ આ વાક્યનો અર્થ થશે, “નયની વિચારણાથી કરેલો અર્થ માર્ગાનુસારી એટલે કે ભગવંતના માર્ગને અનુસરનારો છે.” ‘યોગવાસિષ્ઠ’માં જણાવ્યું છે “शुभाशुभाभ्याम् मार्गाभ्याम् वहन्ती वासनासरित् । पौरुषेण प्रयत्नेन योजनीया शुभे पथि ।” અર્થાત્ “વાસના-ભાવના-વિચારણા રૂપી નદી ચિત્તમાં બે રીતે વહે છે. ૧. શુભ માર્ગમાં અને ૨. અશુભ માર્ગમાં. પ્રયત્ન કરીને પણ શુભ વિચારણામાં મનને જોડવું.” ‘યોગવાસિષ્ઠ’માં ‘વાસનાŕરત્' શબ્દ વાપરીને ‘વાસના એટલે ભાવના કે વિચારણા રૂપી નદી' એવો અર્થ કર્યો છે. ો ૮/૬ (જ્ઞાનાચારાયોપીટા:.... ન વા ક્રિયા ।) આ શ્લોકમાં પરમાત્માની કૃપા-પ્રસાદના સ્વીકારની વાત છે. આનંદઘનજી ચોથા અભિનંદનસ્વામીના સ્તવનની છેલ્લી કડીમાં જણાવે છે, “દર્શન દુર્લભ સુલભ કૃપા થકી.” અહીં પાંચે આચાર શું શું પ્રાપ્ત કરવા માટે આચરવા તે દર્શાવ્યું છે અને તે પ્રાપ્ત થાય ત્યાં સુધી પ્રસાદ-કૃપાની વાત છે. (૧) કેવલજ્ઞાન માટે જ્ઞાનાચાર, (૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy