SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ १६६ પરિશિષ્ટ ૧ “કેટલુંક વિશેષ” (નોંધ : “જ્ઞાનસાર”ના અમુક શ્લોકોના અર્થને સમજવા માટે પ.પૂ.આ.શ્રી વિજય પ્રદ્યુમ્નસૂરિજી મ.સા. સાથે જે ચર્ચા થઈ તેના પરિપાક રૂપે જે ટાંચણ કરેલ તે અહીં “કેટલુંક વિશેષ”એ રીતે પરિશિષ્ટમાં આપવામાં આવેલ છે.) ોજ ૨/૫ (પૂર્વì ચેન કૃપા... મનીષિનામ્ ।) ज्ञानसार ચાલુ શબ્દો ઉપાધ્યાયજીએ જે રીતે વાપર્યા છે તે રીતે સમજવા જોઈએ, તો જ તેમની વાત પકડાય. ‘કૃપણ’ એટલે સામાન્ય અર્થમાં ‘કંજૂસ' સમજીએ. અહીંયા ‘કૃપણ' એટલે “હીનસત્વ લોભી પુરુષ” એવો અર્થ કર્યો છે. બીજી રીતે તેનો અર્થ ‘સંસારના ૨સીયા જીવો' એમ કરી શકાય. સંસારી વ્યક્તિ જેનાથી ધરાય છે તે બધી સામગ્રી ભેગી કરવી તે ઉપાદાન. ‘ઉપાદાન’ શબ્દ અહીં ‘ઉપાદાન કારણ’ના (દા.ત. માટી ઘડાનું ઉપાદાન કારણ છે તેવા) અર્થમાં નથી. જે ઉપાદાન એટલે સામગ્રી કે પદાર્થો ભેગા કરવાથી સંસારી વ્યક્તિ (કૃપણ) ધરાય છે તે વસ્તુઓ (ઉપાદાન) તરફથી મોં પાછું વાળી લેવું તે પૂર્ણતા. ફરીથી આ જ વાત ‘પુર્વાહાંશે સ્જિત' માં કરી છે. શુદ્ધ જ્ઞાનાદિ પર્યાયની પૂર્ણતા વધ-ઘટ વગરની છે. પુદ્ગલના અંશમાં જે ઉણપ છે તે ત્યાં નથી. ‘કલ્પિત’ શબ્દથી સાપેક્ષતા સૂચવાય છે. મને જેમાં પૂર્ણતા લાગે તેમાં બીજાને ન પણ લાગે, આવું પુદ્ગલની બાબતમાં થાય. પુદ્ગલરૂપ અંશમાંથી નિપજતી ઓછાઈ (અપૂર્ણતા) અને સાપેક્ષતા શુદ્ધ જ્ઞાનાદિ પર્યાયની પૂર્ણતામાં જણાતી નથી. સંસારી વ્યક્તિ બહિર્મુખ છે અને અંતર્મુખ વ્યક્તિ જ પૂર્ણતાની નજીક છે અને તેને જ તેઓ ‘મનીષી' જણાવે છે. પૂર્ણતાનો જે આનંદ છે તેની જે સુધા (અમૃત) છે તેનાથી મનીષીની દૃષ્ટિ અંજાયેલ છે, લેપાયેલ છે. ત્યાં ચૈતન્યપૂર્ણતા છે, અરુણોદય જેવી તેજસ્વિતા છે. Jain Education International ો ૬/૨ (અનિચ્છન્ ર્મ વૈષમ્યું.... મોક્ષે ગમી શમી1) પૂ. ઉપાધ્યાયજી મહારાજની વિશિષ્ટ શૈલીનો ખ્યાલ આવે છે. યોગી શુદ્ધ દ્રવ્યાસ્તિક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy