________________
બાળ તથા મૌત પ્રતેં = બૌદ્ધ [ ?] પ્રતેં જિમ બાણે કરીને હણતાં પીછું લેવાને માટે પણ પગ ફરસીને એતલે પગ ફરસતાં પાપ લાગે, તે માટે શબરા ક૦ શબર નામા રાજા, તેહની પરઇં ગુરુકુલવાસી છાંડિને આહારનો ખપ કરતા એતલે શુદ્ધમાન આહાર ખોલતા મુનિને નવરા જાણવા એતલે નિકામા જાણવા. ઇતિ ગાથાર્થ:.
ભાવાર્થ તો કથાથી જાણીઇં. તદ્યથા : કોઇક સન્નિવેશને વિષે શબરનામા રાજા તે બૌદ્ધનો ભક્તિવંતો થતો હવો, તેહને ઘર બૌદ્ધ ગુરુ આવતો હવો, માથા ઉપરે મયૂરપિચ્છનો છત્ર અતિ અદ્ભુત શોભાવંત ધરાવતો હવો, રાજાઇ આદર સન્માન દૈઇ આસને બેસાર્યો. તે રાજાની રાણીઇં દીઠો. છત્ર પણ મયૂરના ચંદ્ર તેણે કરીને ચગવગાટ કરતું દીઠું. તે છત્ર, કુતૂહલ પામી થકી, રાણી માગતી હવી. તે દેશમાં મયૂર નથી તે માટે અરિજ. તે બૌદ્ધઇ ન આપ્યું. ઊઠીને પોતાને ઠેકાણે જાતો રહ્યો. હવે રાણી ભોજન ન કરે. રાજાએ પૂછ્યું. જે ‘ભોજન સ્યા માટે નથી કરતી ?’ તિવા૨ે રાણી બોલી જે ‘એ છત્ર આવે તો ભોજન કરું.’ તિવા રાજાએ છત્ર ગુરુ પાસે માગ્યું. પણિ ગુરુ છત્ર ન આપે. ઇમ વારે વારે રાજા છત્ર માગે પણિ આપે નહીં. તિવારે સ્નેહરાગ અતિ દુર્ધર છે. તે માટે રાણીને સ્નેહે કરી રાજાઈં પોતાના સુભટને હુક્મ કર્યો જે ‘બલાત્કારે એ છત્રપિચ્છ લેઇ આવો', તિવારે સુભટ બોલ્યા જે ‘ એ પોતે જીવતાં તો નહીં આપે. કાંય પ્રહાર કરીઇં તો આપે, નહીંતર પ્રહાર કરીને બલાત્કા૨ે લાવીઇ.’ તિવા૨ે રાજા બોલ્યો જે ‘એ ગુરુની આશાતના થાય તે માટે ગુરુના પાદસ્પર્શ કરસ્યો મા. વેગલા ઊભા રહી, બાણ નાખી ચેષ્ટા રહિત કરીને લેઇ આવો. પણિ ગુરુપાદસ્પર્શ કરસ્યો તો ગુરુની અવજ્ઞા થસ્યું. તેહનું પાપ મોટૂં લાગસ્યું. ઇતિ દૃષ્ટાંત. શબર રાજા ગુરુનો નાશ કરતો તથા પાદસ્પર્શ વારતો હતો. એહને તેહવો વિવેક ગુરુકુલવાસ ત્યજીનેં શુદ્ધ આહાર ગવેષે છે તેહને તેહવો વિવેક જાણવો. ઇતિ ભાવઃ.
યતઃ
૬૪
'सुद्धंछाइसुजुत्तो गुरुकुलचागाइणेह वित्रेओ ।
सबर ससरक्ख पिच्छत्थघाय पायाछिवणतुल्लो. ॥ १ ॥'
– ઇતિ ‘ધર્મરત્નપ્રકરણે.' [ગા. ૧૨૮ની વૃત્તિ] ૮૯ [૫.૧૩]
Jain Education International
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
For Private & Personal Use Only
www.jainelibrary.org