________________
છે. સર્વદર્શન તે તમારા જ દર્શનનો અંશ છે. તે કારણે તમારી આજ્ઞાને એક અને અદ્વિતીય ગણી વિવેકથી સ્તવું છું. સર્વદર્શનનું મૂળ ત્યજીને અન્યની સ્તવના કોણ કરે ?
તુઝ વચનરાગ સુખસાગરે હું ગણું, સકલ સુર-મનુજસુખ એક બિંદુ; સાર કરો સદા દેવ સેવક તણી,
તું સુમતિ કમલિનીવન-દિણંદુ. આજ૦૩૪૭ [૧૭-૭]
બાળ તુઝ વચનરાગ ક૦ તુમ્હારા વચનનો જે રાગ એતલે જૈનાગમનો જે રાગ તદ્રુપ જે સુખસાગરે ક૦ સુખસમુદ્રના મુહ આગલે હું ગણું કરુ હું માનું છું. સકલ સુર-મનુજસુખ ક૦ સમસ્ત દેવતાના સુખ તથા સમસ્ત મનુષ્ય-ચક્રવર્ત્યાદિકનાં સુખ તે એક બિંદુઆ સમાન છે. તે માટે હે દેવ, સદા સેવક તણી ક0 સેવકની સાર કરયો ૧૦ સંભાલ કરયો, એતલે પોતા સરીખા કરજ્યો. તું સુમતિ કમલિનીવનદિણંદુ ક૦ તુમ્હો સુમતિ રૂપ જે કમલિની તેહનું જે વન, તેહને વિષે દિગંદું - સૂર્ય સરીખા છો. એતલે સૂર્ય જિમ કમલિ[ની]ને વિકસ્વર કરે તિમ સુમતિ રૂપ કમલિનીને તુમ્હેં વિકસ્વર કરો. એતલે તુમથી સુમતિ આવે. ઇતિ ભાવ. ૩૪૭ [૧૭-૭]
સુ તમારા વચનનો રાગ એટલે જૈનાગમનો રાગ. એ વચનરાગરૂપ સુખસાગર આગળ સમસ્ત દેવોનાં અને મનુષ્યનાં સુખો એક બિંદુ સમાન છે. માટે હે પ્રભુ ! આ સેવકની સંભાળ કરો. સુમતિરૂપી કમલિનીના વન વિશે તમે સૂર્ય સરખા છો. સૂર્ય જેમ કમલિનીને તેમ તમે સુમતિને વિકસાવો.
જ્ઞાનયોગે ધરી તૃપ્તિ નવિ લાજીઈ, ગાજીઈ એફ તુઝ વચન રાગે,
શક્તિ ઉલ્લાસ અધિકો હુસ્યું તુઝ થકી, તું સદા સકલ સુખહેત જાગે. આજ૦ ૩૪૮ [૧૭-૮]
બાળ જ્ઞાનયોગે ધરી નૃપતિ ક૦ જ્ઞાનયોગમાં તૃપ્તિ ધરીને એતલે જ્ઞાનમાં મગ્ન રહીને નવી લાજીઈ ક0 ક્રિયાનુષ્ઠાન ક∞ લાજીઇ નહીં, ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
૨૫૦
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org