________________
સુo હે પ્રભુ ! જો તું હૈયામાં વસે તો સઘળાં પાપબંધન તૂટે. ગગનમાં સૂર્ય ઊગતાં જ જેમ દશે દિશાનાં તિમિરપટલનો નાશ થાય તે રીતે મારાં પાપડળ નાશ પામે. સી.જે તું સદા વિપુલ કરુણારસે, મુઝ મનિ શુદ્ધ મતિ કલ્યુવેલી, નાણ-દંશણ કુસુમ ચરણ વર મંજરી, મુક્તિફલ આપસ્યું તે ધકેલી. આજ0 ૩૪૪ [૧૭-૪)
બા વિપુલ કરુણારસે ક0 વિસ્તીર્ણ કરુણા રૂપ રસ કરીને તું ક0 હે સ્વામી, તું સીંચજે. મ્યું સીંચજે તે કહે છે. મુઝ મનિ ક0 માહરા મનને વિષે, શુદ્ધ મતિ કલ્પવેલિ ક0 શુદ્ધ મતિ રૂપ કલ્પવૃક્ષની વેલિને સીંચજે. ઇતિ ભાવ. તે સીંચ્યા થકાં જ્ઞાન-દર્શન રૂપ તો ફૂલ આવશે, તથા ચરણ વર ક0 પ્રધાન ચારિત્ર રૂપ માંજિર બેસશે. તિવાર પછી મુક્તિરૂપ ફલને આપસે. તે ધકેલી કરુ તે શુદ્ધ મતિ રૂપ કલ્પવેલડી એકલી આપસે. ૩૪૪ [૧૭-૪] .
સુo હે પ્રભુ ! મારી શુદ્ધમતિરૂપી કલ્પવૃક્ષની વેલિને તું તારા કરુણારસે સીંચજે. તે સિંચનથી એ વેલીને જ્ઞાન-દર્શન રૂપી ફૂલ આવશે, ચારિત્રરૂપ માંજર (મંજરી) બેસશે ને પછી મુક્તિરૂપી ફળ આપશે. લોકસન્ના થકી લોક બહુ વાઉલો, રાઉલો દાસ તે સવિ ઉવેખે; એક તુઝ આણમ્યું જેહ રાતા રહે, તેહને એહ નિજ મિત્ર દેખે. આo ૩૪૫. [૧૭-૫]
બાળ લોકસન્ના ક0 જે લોકસંજ્ઞા ગાડરીઓ પ્રવાહ, તેહ થકી લોક બહુ વાઉલો ક0 ઘણો લોક ઘેહલો હૂઓ છે. રાઉલો દાસ ક0 રાજનો દાસ, એતલે તુમ્હારો દાસ તે સવિ ઉવેખે ક0 ઉવેખું છું. ખાતરમાં ગણતો નથી. એક =અદ્વિતીય, તુઝ આણમ્યું જેહ રાતા રહે = જે તુમ્હારી આજ્ઞાર્યું જે રંગાણા છે, તેમને એક હારો આત્મા નિજ મિત્ર દેખે ક0 પોતાના મિત્ર કરી જાણે છે. એટલે તુમ્હારી આણાથી બાહ્ય તેહને ઉવેખું ૨૪૮
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org